ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝની અંતિમ મેચ માઉન્ટ માઉંગાનુઇના બે-ઓવલ મેદાન પર રમવામાં આવશે. આ મેચ કાલે ભારતીય સમયાનુસાર સવારે 7:30 વાગ્યે રમવામાં આવશે. પહેલી વનડે ન્યૂઝીલેન્ડે 4 વિકેટથી જીતી હતી. ત્યારબાદ બીજી વનડેમાં પણ કીવી ટીમે ભારતને હરાવીને સીરિઝમાં 2-0થી અજેય બઢત મેળવી હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝની અંતિમ મેચ બે-ઓવલ મેદાન પર રમાશે
ટીમ ઇન્ડિયા અંતિમ મેચને જીતીને વ્હાઇટ વોશથી બચવા માંગે છે
આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા કેદાર જાધવને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે
ટીમ ઇન્ડિયા અંતિમ મેચને જીતીને વ્હાઇટ વોશથી બચવા માંગે છે. આ વનડે મેચમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા કેદાર જાધવને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. કેદાર જાધવ બેટિંગથી તો ફ્લોપ છે પરંતુ હવે તેઓ બોલિંગ કરતા પણ નજર નથી આવતા.
એવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ મનીષ પાન્ડે અથવા ઋુષભ પંતમાંથી કોઇ એકને કેદાર જાધવની જગ્યાએ ઉતારી શકે છે. ત્રીજા વનડેથી પહેલા મનીષ પાન્ડે અને ઋુષભ પંતે લાંબા અભ્યાસ સત્રમાં ભાગ લીધો. પંત ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ઇજાગ્રસ્ત થયા બાદ મર્યાદિત ઓવરના ક્રિકેટથી દૂર છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ દરેક વખતે 34 વર્ષના કેદાર જાધવને તક આપી રહ્યું છે. કેદાર જાધવે ગત મેચમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ 27 બોલમાં 9 રન બનાવ્યા હતા.
કેદાર જાધવ વર્લ્ડ કપ 2019થી સતત ફ્લોપ રહેવા છતા ટીમ સાથે જોડાયેલા છે. કેદાર જાધવે વર્લ્ડ કપ બાદ વેસ્ટઇન્ડિઝ પ્રવાસને લઇને અત્યાર સુધી 16, 19 અણનમ, 40, 16 અણનમ, 9, 26 અણનમ, 9ના સ્કોર બનાવ્યો હતો.
કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર જેવા બેટ્સમેને મિડલ ઓર્ડરમાં ઝડપથી સફળતા મેળવી છે. એવામાં કેદાર જાધવની જગ્યા મુશ્કેલીમાં નજરે પડી રહી છે. અભ્યાસ સત્ર દરમિયાન બોલિંગમાં મોહમ્મદ શમીને છોડીને તમામ ફાસ્ટ બોલરોએ અભ્યાસ કર્યો. ન્યૂઝીલેન્ડે લેગ સ્પિનર ઇશ સોઢી અને ફાસ્ટ બોલર બ્લેયર ટિકનરની ટીમમાં સામેલ કર્યો છે.