ટી20 વર્લ્ડ કપ 2021 ની છેલ્લી મેચમાં આજે ભારતનો સામનો નામ્બિયા સામે છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બન્ને ટીમ સામસામે આવી છે.
ભારત અને નામ્બિયાનો મુકાબલો શરુ
વિરાટ કોહલીએ જીત્યો ટોસ
પહેલા બોલિંગ કરશે ટીમ ઈન્ડીયા
હાલના સમયે નામિબીયાનો સ્કોર 5 વિકેટના નુકશાન પર 75 થી વધારે રન છે. અશ્વીનની ધારદાર બોલિંગ આગળ નામ્બિયાના ખેલાડીઓ પસ્ત થયા છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે.
ટી-20 ના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ છેલ્લી મેચ છે. તેથી વિરાટા કોહલી મોટી પારી ખેલીને આ પ્રસંગને યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે.ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. વરુણ ચક્રવર્તીની જગ્યાએ રાહુલ ચાહરને ટીમમાં સામેલ કરાયો છે. ભારત સેમિફાઈનલની રેસમાં પહેલેથી જ બહાર ફેંકાઈ ગયું છે.