આ હાર પછી ટીમ ઇન્ડિયાની બેટિંગને લઇને સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને કેદાર જાધવ અને મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ પર. કુલ મળીને મિડલ ઓર્ડરના બેટ્સમેન માટે અત્યાર સુધી ટૂર્નામેન્ટ સારી નથી રહી.
આ મેચમાં જ્યારે ટીમ ઇન્ડિયાને ઝડપથી રન બનાવવી જરૂર હતી, ત્યારે બંને બેટ્મસેને કોઇ પ્રયત્ન ના કર્યા તેવુ લાગી રહ્યુ હતુ. 45મી ઑવરમાં મહેન્દ્ર સિંહ ધોનીને સાથ આપવા માટે કેદાર જાધવ આવ્યો, તે સમયે 31 બૉલમાં 71 રન કરવાના હતા. પરંતુ બંનેની પાર્ટનરશિપ ફરી ટીમ ઇન્ડિયા માટે કામ ના આવી. ત્યાં સુધી કે એવું લાગ્યુ પણ નહીં કે બંને ટીમની જીત માટે રમી રહ્યા હોય.
ધોની (42*)માં 31 બૉલ પર 4 બાઉન્ડ્રી અને 1 સિક્સર ફટકારી. ટીમ ઇન્ડિયાએ આ ટાર્ગેટ પૂરો કરવા માટે માત્ર 1 સિક્સર ફટકારી તે પણ છેલ્લી ઑવરમાં. બીજી તરફ કેદાર જાધવે 13 બૉલમાં 12 રન કર્યા.
ઇંગ્લેન્ડ વિરુદ્ઘ આ બંને બેટ્સમેનનો જોઇને ટીમ ઇન્ડિયા પૂર્વ કેપ્ટન અને કમેન્ટેટર સૌરવા ગાંગુલીએ કહ્યુ કે, ''તમારી પાસે 5 વિકેટ છે તેમ છતાં તમે જીત માટે પ્રયત્ન નથી કરી રહ્યા, આ માઇન્ડ સેટ બતાવે છે.'' અફધાનિસ્તાન વિરુદ્ઘ મેચમાં પણ ધોની અને જાધવની બેટિંગની ટીકા થઇ. સચિન તેંડુલકરે તો ધોનીની બેટિંગને લઇને સવાલો પણ કર્યા. અફધાનિસ્તાનની વિરુદ્ઘ મેચમાં ધોની અને જાધવે 5મી વિકેટ માટે 84 બૉલમાં 57 રન જ કર્યા હતા.
આ પહેલા બેટિંગ કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયાને અફધાનિસ્તાને 224 રને અટાકવી દીધી. જોકે અફધાનિસ્તાન ટીમ ટાર્ગેટ પૂરો કરવામાં તદ્દન નિષ્ફળ રહી તેણે માત્ર 213 રન જ કર્યા. મહેન્દ્ર સિંહ ધોનીની સૌથી મોટી નબળાઇ બહાર આવી કે તે ઓછી સ્ટ્રાઇક રોટેટ કરે છે અને ડૉટ બૉલ વધારે રમે છે, ધોનીની આ નબળાઇ ટીમ ઇન્ડિયાની ઇનિંગને ધીમી કરી દે છે.
સેમિફાઇનલ અને ફાઇનલ જેવી મેચમાં ધોનીની આ નબળાઇના કારણે જો ટીમ ઇન્ડિયા મોટો સ્કોર ના કરી શકે તો મોટુ નુકસાન ભોગવવુ પડી શકે છે. આ પહેલા ધોનીની બેટિંગને લઇને ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ ટિપ્પણી કરી ચૂક્યો છે. વીવીએસ લક્ષ્મણે કહ્યુ કે, ''ઇનિંગની શરૂઆતમાં ધોનીની સ્ટ્રાઇક રેટ 45-50ની વચ્ચે હતો. આ ટીમ પર અને તેની સાથે બેટિંગ કરી રહેલા ખેલાડી પર પ્રેશર કરે છે.''