બર્મિઘમના એજબેસ્ટનમાં આજે વર્લ્ડ કપ 2019ની સૌથી મોટી મેચ યોજાઇ હતી. જેમાં ઇગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 31 રને પરાજય થયો હતો. આસીસી વર્લ્ડ કપ 2019 (World Cup 2019) માં ઇંગ્લેન્ડની ટીમ 'કરો યા મરો' ની સ્થિતિમાં ટીમ ઇન્ડિયા સામે ઉતરી હતી અને જેમાં ભારતને હાર આપી હતી.
ઇંગ્લેન્ડની ટીમ શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યા બાદ કથડતી નજરે પડી રહી છે. આપને જણાવી કે ઇંગ્લેન્ડે સેમીફાઇનલમાં પહોચવા માટે કોઇપણ રીતે ભારતને હરાવવી પડશે. 27 વર્ષથી વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ભારતને હરાવી શક્યું નથી.
- ભારતની બેટિંગ હાલમાં શરૂ છે ત્યારે કેએલ રાહુલ 0 રન સાથે આઉટ થઇ ગયો અને હાલમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગ ચાલી રહી છે.
- ઇંગ્લેન્ડના 338 રનના ટારગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ શરૂઆત કરી છે. ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્મા ક્રીઝ પર છે. 2 ઓવરને અંતે ભારતનો સ્કોર વિના વિકેટના નુકશાને 8 થયો છે.
- વર્લ્ડ કપ 2019ની ભારત વિરુદ્ધની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરને અંતે 7 વિકેટના નુકશાને 337 રન બનાવ્યા છે. હવે ભારતને જીતવા માટે 338 રનનો લક્ષ્યાંક મળ્યો છે.
- ઇંગ્લેન્ડે મજબુત બેટિંગ કરતા 300નો સ્કોર પાર કરી લીધો છે. 47 ઓવરને અંતે 4 વિકેટના અંતે સ્કોર 310 થયો. સ્ટોક્સે 45 બોલમાં 61 રન કર્યા છે.
- ભારતને ચોથી સફળતા મળી છે. ઇંગ્લેન્ડના જો રૂટ 54 બોલમાં 44 રન બનાવી આઉટ થયો. ઇંગ્લેન્ડનો સ્કોર 44 ઓવરને અંતે 4 વિકેટના નુકશાને 287 થયો.
- ભારતને બીજી સફળતા મળી છે. ઇંગ્લેન્ડના બેયરસ્ટો 109 બોલમાં 111 રન બનાવી આઉટ થયો. ઇંગ્લેન્ડનો સ્કોર 31 ઓવરના અંતે 2 વિકેટના અંતે 205 થયો.
- ઇંગ્લેન્ડે મજબૂત શરૂઆત કરવાની સાથે મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. 30 ઓવર બાદ ઇંગ્લેન્ડનો સ્કોર 1 વિકેટના નુકશાને 202 થયો. બેયરસ્ટોએ વર્લ્ડ કપ 2019ની પહેલી સદી નોંધાવી છે.
6 મેચમાં અત્યાર સુધી અજેય વિરાટ કોહલી એન્ડ કંપનીએ 5 જીતની સાથે 11 પૉઇન્ટ કર્યા છે. અને જો આજે રમાઇ રહેલી મેચમાં ટીમ ઇન્ડિયા જીતી જાય તો સેમિફાઇનલમાં એન્ટ્રી થઇ જશે. જ્યારે ઇંગ્લેન્ડ માટે આ મેચ 'કરો યા મરો' જેવી છે. ઇંગ્લેન્ડે અત્યાર સુધી 7 મેચમાં રમી, જ્યારે પૉઇન્ટ ટેબલમાં 8 પૉઇન્ટ છે, જો તે આ મેચ હારી જાય તો વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે.
કુલદીપ-ચહલ ઉઠાવી શકે છે ફાયદો:
આજે રમાઇ રહેલી મેચમાં વાતાવરણ સારુ રહેશે. સુખી પિચ પર ટર્ન જોવા મળી શકે છે. એવામાં ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની સાથે ટીમ ઇન્ડિયામાં શામેલ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડી ઇંગ્લેન્ડ માટે ઘાતક સાબિત થઇ શકે છે.
ન્યૂઝીલેન્ડ પણ ઇચ્છશે ભારત જીતે:
અંતિમ 4માં જગ્યા બનાવવા માટે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડને 1-1 મેચ જીતવી પડશે. ટીમ ઇન્ડિયાને હજુ 3 મેચ રમવાની છે. જેમાં ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે રમશે. તો ઓસ્ટ્રેલિયાની સામે મળેલી હાર પછી ન્યૂઝીલેન્ડને હવે ઇંગ્લેન્ડને માત આપીને પોતાની જગ્યા પાક્કી કરવી પડશે, રવિવારે ન્યૂઝીલેન્ડ ફેન્સ પણ ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના કરશે.