સતત બે હારથી પરેશાન ભારતીય ટીમ માટે એક સારા સમાચાર છે કે એમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફિટ થઇ ગયો છે અને શનિવારે નોર્ટિંધમમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં પસંદગી માટે હાજર રહેશે. ઇંગ્લેન્ડ પહેલી 2 ટેસ્ટ જીતીને 5 મેચોની સીરિઝમાં 2 0થી આગળ ચાલી રહ્યું છે. જૂનમાં ડબલિનમાં આયરલેન્ડ વિરુદ્ધ પ્રવાસની પહેલી મેચ રમતાં બુમરાહના જમણા હાથમાં ઇજા પહોંચી હતી. અને અંગૂઠામાં ફેક્ચરના કારણએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી 20 અને વન ડે સીરિઝ ઉપરાંત 2 ટેસ્ટમાં રમી શક્યો નહીં.
બુમરાહની 4 જુલાઇએ લીડ્સમાં સર્જરી થઇ ત્યારબાદ એને ભારતમાં રિહેબિલિટેશનમાં ભાગ લીધો. એને ત્યારબાદ ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમથી જોડવામાં આવ્યો. બુમરાહને ટેસ્ટ સીરિઝ દરમિયાન ચેમ્સફોર્ડ બર્મિધામ અને લોર્ડ્સ પર નેટ પર સમાય પસાર કરતો જોવા મળ્યો. ટીમ પ્રબંધનને જો કે એના હાથનું પ્લાસ્ટર ઊતરવાની રાહ હતી.
બીજી ટેસ્ટમાં વરસાદે ખલલ દરમિયાન એક નેટ સત્રમાં બુમરાહને પ્લાસ્ટર વગર બોલિંગ કરતો જોવા મળ્યો અને આગળની મેચ માટે ઉપલબ્ધતાની પુષ્ટિ થઇ છે. જો કે એવું જોવાનું થશે કે મેચ અભ્યાસ વગર એને અંતિમ ઇલેવનમાં જગ્યા મળે છે કે નહીં.
આ વચ્ચે રવિચંદ્રન અશ્વિન અને હાર્દિક પંડ્યાને પણ ફિટ જાહેર કરવામાં આવ્યા છે. બીજી ટેસ્ટ ઇનિંન્ગસમાં બેટ્સમેન દરમિયાન આ બંનેના સીધા હાથની આગળીઓ પર બોલ વાગ્યો હતો. અશ્વિનની સાથે 2 વખત એવું થયું હતું. કેપ્ટન વિરાટ કોહલી પણ ત્રીજી ટેસ્ટ માટે પૂરી રીતે ફિટ થવાની દોડમાં સામેલ છે.
મંગળવારે પૂરી ટીમે જિમ સત્રમાં ભાગ લીધો હતો. તમામ ખેલાડીઓ અને કેપ્ટન આ સત્રમાં સામેલ થયા.