ઇંગ્લેન્ડ વિરુદ્ઘ 1 ઓગ્સ્ટથી શરૂ થનારી 5 ટેસ્ટ મેચની સીરિઝની શરૂઆતી 3 મેચ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ ગઇ છે. BCCIએ બુધવારે પહેલી 3 ટેસ્ટ મેચ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડના વિરુદ્ઘ મંગળવારે રમાયેલી ત્રીજી અને સીરિઝની છેલ્લી વન ડે મેચમાં ઇજાગ્રસ્ત હોવાને કારણ ફાસ્ટ બૉલર ભુવનેશ્વર કુમારની ટીમમાં જગ્યા નથી આપવામાં આવી.
ટીમમાં 2-2 વિકેટકીપર રાખવામાં આવ્યા છે. દિનેશ કાર્તિકની સાથે રિષભ પંતને પણ વિશેષજ્ઞ વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. કાર્તિંકે અફધાનિસ્તાન વિરુદ્ઘ ટેસ્ટમાં વિકેટકીપિંગ કરી હતી. પહેલી વખત રિષભ પંતને ટેસ્ટ ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. ઇંગ્લેન્ડની વિરુદ્ઘ મંગળવારે છેલ્લી વનડેમાં પોતાના બેટથી કેટલાક આકર્ષક શૉટ લગાવનાર બૉલર શાર્દુલ ઠાકુરને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. યો યો ટેસ્ટમાં ફેલ થવાને કારણે ઇંગ્લેન્ડ વિરુદ્ઘ વનડે ટીમમાં જગ્યા બનાવવામાં નાકામ રહેલા ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. શમીએ પછી યો યો ટેસ્ટ પાસ કરી હતી.
TEAM NEWS: #TeamIndia for the first three Tests against England announced #ENGvIND. Bhuvneshwar Kumar aggravated a lower back condition in the 3rd ODI. His condition is being assessed & a call on his inclusion in the Test squad will be made soon. pic.twitter.com/lhlF65VRUP
જસપ્રીત બુમરાહ ટીમની સાથે બીજી વનડેથી જોડાશે. અંગૂઠાની ઇજાને કારણે તેણે વનડે સીરિઝમાં બહાર રહેવું પડ્યું હતુ. હજુ સુધી નક્કી નથી કે ભુવીને છેલ્લી 2 ટેસ્ટમાં જગ્યા મળશે કે નહી. BCCIએ ટ્વીટ કરીને જણાવ્યુ કે ભુવનેશ્વરની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં તેનો નિર્ણય લેવામાં આવશે ઇંગ્લેન્ડના વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝમાં તે ટીમનું પ્રતિનિધિત્વ કરશે કે નહીં.