કોરોના સંકટને કારણે ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસમાં પાંચમી ટેસ્ટ મેચ રમાઈ ન હતી. પરંતુ હવે આ ટેસ્ટ મેચ જુલાઈ 2022માં રમાશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શુક્રવારે એક નિવેદન જાહેર કરીને આ અંગેની સ્પષ્ટતા કરી છે. ભારતીય ટીમ આ શ્રેણીમાં 2-1થી આગળ છે. તેથી આવતાં વર્ષે આ મેચ 1 જુલાઈથી 5મી જુલાઈ દરમિયાન એજબેસ્ટનમાં રમાશે જે એક રીતે શ્રેણીની અંતિમ મેચ હશે.
ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવતાં મેચ રદ્દ થઈ હતી.
મહત્વનું છે કે, આ વર્ષે સપ્ટેમ્બરના અંતમાં ઈંગ્લેન્ડનામાન્ચેસ્ટરમાં શરૂ થવાની હતી. ત્યારે ટીમ ઈન્ડિયાના કેમ્પમાં કેટલાક ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવી ગયાં હતાં. તે કિસ્સામાં ટીમ ઈન્ડિયાએ રમવાની ના પાડી દીધી હતી. આ જ કારણે મેચ મુલતવી રાખવામાં આવી હતી.ત્યારથી બંને બોર્ડ વચ્ચે આ વિષે ચર્ચા ચાલી રહી હતી. અને હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે .
આ પ્રવાસમાં ટી-20 અને વનડે શ્રેણી પણ રમશે
આ ટેસ્ટ મેચ ઉપરાંત ભારતીય ટીમ આ પ્રવાસમાં ટી-20 અને વનડે શ્રેણી પણ રમશે. ભારતે ઈંગ્લેન્ડમાં ત્રણ ટી-20 અને માત્ર ત્રણ વનડે રમવાની છે