ઈંગ્લેન્ડ સામે લીડ્સમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 76 રનથી કારમી હારનો સામનો કર્યો હતો. આ મેચમાં ઈશાન્ત શર્મા ભારતીય ટીમ માટે સૌથી મોટા વિલન સાબિત થયા. ઈશાન્ત શર્માએ ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમને સારા રન આપ્યા હતા અને એક વિકેટ પણ લીધી ન હતી.
લીડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો આ ખેલાડી બન્યો વિલન
ઈશાન્ત શર્માએ ઈંગ્લેન્ડની ટીમને સારા રન આપ્યાં, એક વિકેટ પણ ના લીધી
શાર્દુલ ઠાકુરની જગ્યાએ ઈશાન્ત શર્માને મેદાનમાં ઉતાર્યા હતા
વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ ઈશાન્ત શર્માને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેઓ બોલિંગમાં ઉણા ઉતર્યા હતા. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ઈશાન્ત શર્માની બોલિંગમાં સારા રન બનાવ્યા હતા. ઈશાન્ત શર્માએ કોઈ વિકેટ લીધા વિના પ્રતિસ્પર્ધી ટીમને 22 ઓવરમાં 99 રન આપ્યા હતા.
ત્રીજી ટેસ્ટ મેચમાં વિલન બન્યા આ ખેલાડી
ઈશાન્ત શર્માની બોલિંગની પોલ ખુલ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ મેચમાં ટીમમાંથી આઉટ કરી દેશે. ત્રીજી ટેસ્ટ મેચમાં કંગાળ પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડ સામેની બાકીની બે ટેસ્ટ મેચમાં ઈશાન્ત શર્માને બહાર કરી દેવામાં આવે તેવી શક્યતાને નકારી શકાય નહીં. ઈશાન્ત શર્મા પગમાં ઈજા અને સ્નાયુઓમાં દુ:ખાવાથી પરેશાન છે અને તેમને ખ્યાલ રહ્યો નથી કે તેઓ ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા કે નહીં.
રવિચંદ્રન અશ્વિનને મળશે સ્થાન?
કેપ્ટન વિરાટ કોહલીએ ઈશાન્તના પ્રદર્શન પર વાત કરવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ એવા સંકેત મળ્યાં હતા કે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવશે. આ દરમ્યાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ગોઠણના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે તેમને ગંભીર ઈજા થઈ નથી. પરંતુ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન બે સપ્ટેમ્બરથી ઓવલમાં યોજાનારી ટેસ્ટ મેચ માટે ટીમમાં સ્થાન બનાવવાના પ્રબળ દાવેદાર છે.