ગુરુવારે ઇંગ્લેન્ડે પ્રથમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં ઇંગ્લેડની ટીમે ગઈ ટેસ્ટ મેચ કરતાં થોડો સારો દેખાવ કરતાં ૨૦૫ રન નોંધાવ્યા હતા અને ઓલઆઉટ થઈ ગઈ હતી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ચોથી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચમાં ઇંગ્લેડની ટીમ પ્રથમ ઇનિંગમાં ૨૦૫ રન જ બનાવી શકી હતી, અને ઓલઆઉટ થઈ ગઈ હતી, . ભારતીય સ્પિનરોમાં અક્ષર પટેલે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જેના જવાબમાં ભારતીય ટીમની શરૂઆત પણ સારી નહોતી રહી અને ભારત ૧૫૬ રને ૬ વિકેટ ગુમાવી ચૂક્યું હતું, પરંતુ પછી રૂષભ પંતની સદી અને બોલર કમ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરની અડધી સદીના લીધે ભારતે ઇંગ્લેડ પર સારી ખી શકાયન તેવી ૮૬ રનની લીડ મેળવી લીધી છે.
શું છે સ્કોર ?
બીજા સત્રમાં ટી ટાઈમ સુધી ભારતે તેની પ્રથમ ઇનિંગ્સમાં છ વિકેટે 153 રન બનાવ્યા હતા અને ઇંગ્લેંડ કરતાં ૫૨ રન પાછળ હતા, પણ પછી વિકેટકીપર ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરે બાજી સંભાળી હતી અને સ્કોર બોર્ડનેન સતત ફરતું રાખ્યું હતું. પંતે તેની નેચરલ શૈલીની બેટિંગ કરીને ભારતને ઉગારયુ હતું અને સદી ફટકારીને વિકેટ ગુમાવી હતી, લેટેસ્ટ અપડેટ અનુસાર હાલમાં ભારત તરફથી વોશિંગ્ટન સુંદર ૬૦ રનની ઇનિંગ રમીને મેદાનમાં છે અને તેનો સાથે અક્ષર પટેલ આપી રહ્યો છે.
હાલમાં અક્ષર પટેલ ૧૧ રનના સ્કોર સાથે મેદાનમાં છે અને સુંદરને સાથ આપી રહ્યો છે, ભારતનો સ્કોર હાલમાં સાત વિકેટના નુકસાન પર ૨૯૪ રન છે, જેનાથી ભારતે ૮૯ રનની લીડ મળી ચૂકી છે.
જીતવું અથવા ડ્રો કરવું ભારત માટે જરૂરી
મહત્વનું છે કે ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ હતી અને જો વિરાટ કોહલીની ટીમને પણ અંતિમ ટેસ્ટ ડ્રો મળે છે, તો તેઓ જૂનમાં લોર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ સીરિઝની ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યાં તેનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. ઈંગ્લેન્ડ ફાઇનલ રેસમાંથી બહાર થઈ ગયું છે, પરંતુ જો તે અંતિમ ટેસ્ટ જીતે છે, તો તે પણ ભારતને વર્લ્ડ ટાઇટલની રમતમાંથી બહાર કરી દેશે અને ટિમ પેનની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમને આ મેચમાં રમવાની તક મળશે.