ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને નૉટિંધમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં 203 રને હરાવ્યું હતુ. આ સાથે જ વિરાટ બ્રિગેડે પાંચ વિકેટની ટેસ્ટ સીરિઝમાં જીતનું ખાતું ખોલ્યું. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 329 રનમાં ઑલઆઉટ થઇ ગઇ જ્યારે ટાર્ગેટ પૂરો કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 161 રનમાં ઑલઆઉટ થઇ ગઇ. આ રીતે ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગના આધાર પર 168 રનની લૂડ મેળવી હતી.
જે પછી ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં 7 વિકેટ પર 352 રન બનાવીને પોતાનો દાવ ડિક્લેર કર્યો અને ઇંગ્લેન્ડની સામે 521 રનનો ટાર્ગેટ આપ્યો. આ પહાડ જેવા ટાર્ગેટને પૂરો કરવા માટે આવેલી ઇંગ્લેન્ડની ટીમ 317 રનમાં સમેટાઇ ગઇ તો ટીમ ઇન્ડિયાએ આ મેચ 203 રનથી પોતાના નામે કરી. ઇંગ્લેન્ડના જોસ બટલરે પોતાના કરિયરની પહેલી સદી ફટકારી. બટલરે 176 બૉલમાં પોતાની ઇનિંગમાં 21 બાઉન્ડ્રીની મદદથી 106 રન કર્યા આ સિવાય સ્ટોક્સ (187 બૉલ 60 રન 6 સિક્સર્સ)ની સાથે પાંચની વિકેટ માટે 169 રનની પાર્ટનરશિપ કરી.
ઇંગ્લેન્ડને આ સ્કોરમાં સમેટવા માટે જસપ્રીત બુમરાહનું મહત્વનુ યોગદાન રહ્યુ. જસપ્રીત બુમરાહે 85 રન આપીને 5 વિકેટ લીધી. આ સિવાય ઇશાંત શર્માએ 2 રવિચંદ્રન અશ્વિન મોહમ્મદ શમી અને હાર્દિપ પંડ્યા 1-1 વિકેટ ઝડપી. ચોથા દિવસે ટીમ ઇન્ડિયાને જીતવા માટે 1 વિકેટની જરૂર હતી અને પાંચમા દિવસે ત્રીજી ઓવરમાં રવિચંદ્રન અશ્વિને જેમ્સ અંડરસન (11)ને અંજિક્ય રહાણને હાથે કેચ કરાવીને ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ મેચ જીત્યા પછી હજુ પણ ટીમ ઇન્ડિયા સીરિઝમાં 1-2થી પાછળ છે. ઇંગ્લેન્ડે સીરિઝની શરૂઆતની બંને ટેસ્ટ મેચ જીતીને લીડ મેળવી લીધી છે.