ટી-20 શ્રેણી બાદ ભારતીય ટીમ હવે 12 જુલાઈએ ઈંગ્લેન્ડ સામે પહેલી વન-ડે મેચ રમવાની છે. આ મેચમાં બુમરાહ-શમીનુ ઉતરવાનુ નક્કી છે. તો ત્રીજા બોલર માટે મેદાનમાં ત્રણ મોટા દાવેદાર છે.
ભારતીય ટીમ 12 જુલાઈએ ઈંગ્લેન્ડ સામે પહેલી વન-ડે રમશે
ત્રીજા બોલર માટે મેદાનમાં ત્રણ મોટા દાવેદાર
રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ માટે પસંદગી કરવી બનશે મુશ્કેલ
ત્રીજા બોલર માટે ટીમમાં ત્રણ ધુરંધર ખેલાડી મેદાનમાં
ટી-20 શ્રેણી જીત્યા બાદ ભારતીય ટીમની નજર વન-ડે શ્રેણીની ધમાકેદાર શરૂઆત કરવા પર હશે. છેલ્લાં 1 વર્ષમાં ભારતીય ટીમે માત્ર 9 વન-ડે મેચ રમી છે. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ માટે ટીમ પસંદગી સરળ થવાનુ નથી. કારણકે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનું રમવાનુ નક્કી છે. તો ત્રીજા બોલર માટે ટીમમાં ત્રણ જાંબાઝ ખેલાડી મેદાનમાં છે.
શાર્દૂલ ઠાકુર
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી 50 ઓવરના ફોર્મેટમાં પહેલી પસંદના ફાસ્ટ બોલર છે, પરંતુ ભારતને ત્રીજી પસંદના ફાસ્ટ બોલર માટે કડક નિર્ણય કરવો પડશે. 19 મેચ રમી ચૂકેલા શાર્દૂલ ઠાકુર સૌથી અનુભવી ખેલાડી છે. તેમણે આઈપીએલમાં પણ ધમાકેદાર પર્ફોમન્સ કર્યુ હતુ. તેઓ લો ક્રમમાં આક્રમક બેટીંગ કરવામાં માહેર ખેલાડી છે. એવામાં કેપ્ટન રોહિત શર્મા તેમને તક આપી શકે છે.
મોહમ્મદ સિરાજ
ઈંગ્લેન્ડની પિચ હંમેશા ફાસ્ટ બોલર્સ માટે મદદગાર રહી છે. આ પિચ પર મોહમ્મદ સિરાજ તબાહી મચાવવા માટે લોકપ્રિય છે. આની પહેલાની ટેસ્ટ મેચમાં સિરાજે કાતિલ બેટીંગ કરી હતી. મોહમ્મદ સિરાજે ભારત માટે ચાર ટેસ્ટ મેચ રમી છે. તેમની પાસે એવી કલા છે કે તે થોડા બોલમાં મેચની દિશા બદલી શકે છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીના જોડીદાર બનવાના આ મોટા દાવેદાર છે.
પ્રસિદ્ધ કૃષ્ણા
પ્રસિદ્ધ કૃષ્ણાએ વેસ્ટ ઈન્ડીઝ સામે પોતાની બોલિંગ પુરવાર કરી હતી. તે ધીમી ગતિની બોલમાં જલ્દી વિકેટ લઇ લે છે. જ્યારે તેઓ પોતાના મૂડમાં હોય છે ત્યારે કોઈ પણ બેટરની ગિલ્લીઓ ઉડાવી શકે છે. આઈપીએલ 2022માં તેઓ રાજસ્થાન રૉયલ્સ માટે સૌથી મોટા મેચ વિનર બનીને સામે આવ્યાં હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારતીય ટીમ માટે સાત વન-ડે મેચમાં 18 વિકેટ પ્રાપ્ત કરી છે.