આઇસીસી વર્લ્ડ કપ 2019ની 40મી મેચમાં ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે અજબેસ્ટન મેદાન પર મુકાબલો યોજાયો હતો. બંને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ થયો જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ દાવમાં 300 રનનો સ્કોર પાર કરીને બાંગ્લાદેશને 315 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
વર્લ્ડકપમાં રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ, એક જ વિશ્વકપમાં 4 સદી ફટકારી ગાંગુલીનો 3 સદીનો રેકોર્ડ તોડ્યો. ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ સદી નોંધાવ્યા બાદ 92 બોલમાં 104 રન બનાવી આઉટ થયો. રોહિત શર્માએ મેચની 28મી ઓવરમાં સદી ફટકારી છે. ભારતનો સ્કોર એક વિકેટના નુકશાને 29 ઓવરને અંતે 180 થયો.
23 ઓવરમાં 150 રન
રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે પણ અર્ધ સદી નોંધાવી છે. ભારતે મજબુત શરૂઆત કરતા 23 ઓવરમાં 150 રન પૂર્ણ કર્યા છે. ભારતનો સ્કોર 23 ઓવરને અંતે વિના વિકેટના નુકશાને 155 થયો. રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે પણ અર્ધ સદી નોંધાવી છે. ભારતનો સ્કોર 23 ઓવરને અંતે વિના વિકેટના નુકશાને 155 થયો.
બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 18 ઓવરને અંતે વિના વિકેટના નુકશાને 100 રન પુર્ણ કર્યા છે. રોહિત શર્મા 57 રન અને કેએલ રાહુલ 48 રન બનાવી ક્રીઝ પર છે.
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
- બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની મજબુત શરૂઆત થઇ છે. ઓપનર રોહિત શર્મા ફોર્મમાં દેખાઇ રહ્યા છે. ભારતનો સ્કોર વિના વિકેટના નુકશાને 8 ઓવરને અંતે 50 પૂર્ણ થયો.
- ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઇન્ડિયામાં કુલદીપ-જાધવની જગ્યાએ ભુવી-કાર્તિકનો સમાવેશ કરાયો છે.
India will be batting first at Edgbaston!
There are two changes for both sides as Dinesh Karthik and Bhuvneshwar Kumar come in for India while Shabbir Rahman and Rubel Hossain are brought into the Bangladesh side.
એજબેસ્ટનમાં યોજાનારી મેચમાં ભારતને સતર્ક રહેવું પડશે. આમ તો ભારત સેમીફાઇનલમાં જવાથી એક અંકનાં અંતર પર જ છે પરંતુ જો બાંગ્લાદેશ વિરૂદ્ધ તેને જો હાર મળે છે તો તેનું શ્રીલંકા વિરૂદ્ધ મેચ કરો યા મરો જેવી થઇ જશે. બાંગ્લાદેશ કોઇ પણ ટીમનો ખેલ બગાડી શકે છે.
2007 વિશ્વ કપમાં આ ટીમે ભારતને માત આપીને શરૂઆતનાં દોરથી બહાર કરી દીધા હતાં. એવામાં ભારતને બાંગ્લાદેશની વર્તમાન ફોર્મને જોઇને સતર્ક રહેવું પડશે. એવામાં બાંગ્લાદેશનાં 5 ખેલાડી એવાં છે કે જે મેચમાં કોઇ પણ સમયે ભારતનો ખેલ બગાડી શકે છે.