ઠંડીની ઋતુમાં ઝાકળને ધ્યાનમાં રાખતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બંગાળ ક્રિકેટ સંઘ (CAB) એ નિર્ણય લીધો છે કે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમવા જઇ રહેલી ભારતની પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ દિવસે 1 વાગ્યે શરૂ થશે અને 8 વાગ્યા સુધી ચાલશે. આ ટેસ્ટ 22થી 26 નવેમ્બર વચ્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમવામાં આવશે. બંને ટીમો માટે આ પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બંગાળ ક્રિકેટ સંઘે નિર્ણય લીધો
ભારતની પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ દિવસે 1 વાગ્યે શરૂ થશે અને 8 વાગ્યા સુધી ચાલશે
BCCIની સીએબીની રમવાની પરિસ્થિતિઓમાં બદલાવ કરવાની અપીલ સ્વીકારી
બીસીસીઆઇના એક અધિકારીએ આ વાતની પુષ્ટી કરી અને કહ્યું કે દિવસની મેચ રાત્રે 8 વાગ્યે ખતમ કરી દેવામાં આવશે કેમકે ત્યારબાદ જો મેચ ચાલુ રહેશે તો કોલકત્તામાં ઝાકળની સમસ્યા ઉભી થઇ શકે છે. અધિકારીનું કહેવું છે કે, ઝાકળને ધ્યાનમાં રાખી, BCCIની સીએબીની રમવાની પરિસ્થિતિઓમાં બદલાવ કરવાની અપીલ સ્વીકારી છે. દિવસની મેચ હવે બપોરે એક વાગ્યે શરૂ થશે. અને ત્રણ વાગ્યે પહેલુ સત્ર ખતમ થઇ જશે. બીજુ સત્ર 3: 40 વાગ્યે શરૂ થશે અને 5:40 વાગ્યે ખતમ થઇ જશે. અંતિમ સત્ર 6થી 8 વાગ્યા સુધી ચાલશે.
આ પહેલા ઇડન ગાર્ડન્સના ક્યૂરેટર સુઝાન મુખર્જીએ કહ્યું હતું કે જલ્દી શરૂ કરવાથી ઝાકળની સમસ્યાઓથી લડવામાં મદદ મળશે. એમણે કહ્યું, ઝાકળની સમસ્યા સામાન્યપણે 8-8:30 વાગ્યા બાદ શરૂ થાય છે. આ અમે ઇડન પર ટી-20 મેચોમાં જોયું છે. તેથી મને લાગે છે કે ઝાકળ સમસ્યા ઉભી કરશે. અમે ઝાકળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તૈયારી કરી રાખી છે.
ક્યૂરેટરથી જ્યારે મેચમાં તેમની તૈયારી વિશે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું, મારી તૈયારી એવી જ છે જેવી ડે મેચમાં હોય છે. હું પિચને મેચને ધ્યાનમાં રાખીને બનાવવાની કોશિશ કરીશ. અમે ઇડનમાં ઘણી સારી પિચ જોઇ છે. ડે-નાઇટ મેચ હોવાને કારણે તેમા કોઇ બદલાવ નહીં આવે.