ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજધાની દિલ્હીમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચ હવા પ્રદૂષણના કારણે ખતરામાં હતું પરંતુ મેચ વગર કોઇ મુશ્કેલીએ આયોજિત થઇ. આ બન્ને ટીમો રાજકોટમાં સીરીઝની બીજી ટી-20 મેચ રમશે, પરંતુ આ મેચ પર પણ હવામાનનું ગ્રહણ લાગી રહ્યું છે. મહા વાવાઝોડું ભારતના પશ્ચિમ દરિયા કિનારાથી દૂર જઇ રહ્યું હતું, પરંતુ તે પાછું ફર્યું છે અને તે હવે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાત પર મહા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા
ભારત-બાંગ્લાદેશની મેચ પર મહા વાવાઝોડાનું સંકટ
દિલ્હીમાં હવા પ્રદૂષણને લઇને મુશ્કેલી
ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વીટ કર્યું કે, અને હવે રાજકોટમાં થનારી મેચ પહેલા 6-7 નવેમ્બરે પશ્ચિમી કિનારે વાવાઝોડું આવવાની શક્યતા છે, જેના કારણે સૌરાષ્ટ્ર કિનારા પર માછીમારો માટે અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આશા છે કે આ અહીં રહેનારા લોકો માટે મુશ્કેલી વાળું ન હોય. આ વર્ષે હવામાન ઘણુ અનિશ્ચિત રહ્યું છે.
And now, with a game in Rajkot ahead, news of a cyclone on the West coast on Nov 06/07 with a danger alert issued to fishermen on the Saurashtra coast. Hope it isn't dangerous for the people living there. The weather has been most unpredictable this year.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ગુજરાત આવતા આવતા નબળુ પડવાની આશા છે. આ સિસ્ટમ દીવ અને પોરબંદર વચ્ચે સાત નવેમ્બરે ઓછી થઇ શકે છે અને તે સમયે હવાની સ્પીડ 80-90 કિલોમીટર પ્રતિ કલાકની હશે.
જણાવી દઇએ કે, દિલ્હીમાં પ્રદૂષણના કારણે સીરીઝની પ્રથમ ટી-20 પર આયોજનને લઇને ખતરો મંડરાય રહ્યો હતો. ઝેરી હવાના કારણે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી છે. દિલ્હીમાં રહેનારા લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને ગળાની સમસ્યાઓ સામે આવી રહી છે જેને લઇને હવે દિલ્હીમાં ઑડ-ઇવન લાગૂ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં રમાયેલ પ્રથમ ટી-20માં 7 વિકેટથી જીતેલ બાંગ્લાદેશે સીરીઝમાં 1-0ની લીડ મેળવી છે.