એશિયા કપ સુપર ફોરમાં ભારતે બાંગ્લાદેશને ધૂળ ચટાડી છે. ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હાર આપી છે. કેપ્ટન રોહિત શર્માએ આ મુકાબલામાં 82 અણનમ રન ફટકાર્યા છે. શિખર ધવને 40 અને ધોનીએ 33 રન ફટકાર્યા હતા.
તો ભારતીય બેટ્સમેન અને બોલર રવિદ્ર જાડેજાએ ચાર વિકેટ ઝડપીને મહત્વનું યોગદાન આપ્યુ હતું. જ્યારે ભુવનેશ્વર અને બુમરાહે 3-3 વિકેટ પોતાના નામે કરી હતી. જો કે ટાર્ગેટ ઓછો હોવાના કારણે ભારતીય ટીમ સરળતાથી આ મેચ પોતાના ભાગે કરી હતી.
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડીયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલ બાંગ્લાદેશની પૂરી ટીમ 49.1 ઓવરમાં 173 રન બનાવીને સમેટાઇ ગઇ હતી.
જેના જવાબરૂપે ટીમ ઇન્ડીયાએ 36.2માં જ 3 વિકેટ ગુમાવી આ લક્ષ્ય હાંસલ કરેલ. ગઇકાલે યોજાયેલ મુકાબલામાં ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાએ જોરદાર પરફોર્મન્સ કરતા તેને મેન ઓફ ધ મેચથી નવાજવામાં આવેલ. જાડેજાએ આ મુકાબલામાં 10 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપેલ.
આપને જણાવી દઇએ કે બાંગ્લાદેશ દ્વારા મળેલ 174 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ ટીમ ઇન્ડીયાને રાહિત શર્મા અને શિખર ધવનની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ 15 ઓવરના બીજા દડામાં શકિલ અલ હસને એક વિકેટ લઇને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. શાકિબે ભારતીય ખેલાડી શિખર ધવનને LBW આઉટ કરેલ.