આજે નાગપુરમાં બાંગ્લાદેશ સામે રમાનારી ત્રીજી અને અંતિમ T -20 મેચમાં ભારતીય ટીમ જીતવાના ઈરાદા સાથે ઉતરશે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T -20 વર્લ્ડ કપ પહેલા આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય ટીમ તેના મુખ્ય ખેલાડીઓની ઓળખ બનાવવા માંગે છે. કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણા વરિષ્ઠ ખેલાડીઓ આ શ્રેણીમાં શામેલ નથી. આવી સ્થિતિમાં નવા ખેલાડીઓએ પોતાનું યોગદાન સાબિત કરવાનું રહેશે.
રોહિતે પહેલાંની બંને ટી -20 મેચની ટીમમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જેથી મનીષ પાંડે, સંજુ સેમસન અને રાહુલ ચહર જેવા ખેલાડીઓ ડ્રેંસિંગ રૂમમાં બેઠા હતા. જો તેને નાગપુરમાં તક નહીં મળે, તો તેણે પોતાને સાબિત કરવા માટે વેસ્ટ ઇન્ડીઝ સામે આગામી ટી -20 શ્રેણીની રાહ જોવી પડશે. ટીમમાં સિનિયર ખેલાડીઓને પાછા લાવવામાં આવે તો ભારતીય ટીમના સંયોજન માટે મહેનત કરવી પડશે. ખાસ કરીને બેટિંગમાં થોડો અભાવ જોવા મળી રહ્યો છે. શ્રેયસ અય્યરે પોતાને ટૂંકાગાળામાં સાબિત કર્યા છે.જ્યારે લોકેશ રાહુલ હજુ સુધી પોતાનું સ્થાન બનાવવામાં નિશ્ફળ રહ્યો છે.
ભારતીય ટીમમાં નવા ખેલાડીઓની સાથે અનુભવી શિખર ધવન અને યુવા વીકેટકીપર ઋષભ પંત પણ જગ્યા બનાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ધવન અને પંત પોતાના ખરાબ પ્રદર્શનને કારણે પણ ચર્ચામાં રહ્યા છે. આજે આ ખેલાડીઓ પોતાના પ્રદર્શનને સુધારીને લોકચાહના મેળવી શકે છે.