ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની સેમિફાઈનલમાં વરસાદ પડે અથવા તો વચ્ચે વરસાદને કારણે મેચ રદ થાય તો ઓસ્ટ્રેલિયા સીધું ફાઈનલમાં પહોંચી જશે.
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 સેમિફાઈનલ
સાઉથ આફ્રિકામાં પડી રહ્યો છે વરસાદ
વરસાદને કારણે આજની મેચ રદ થાય તો ભારત વર્લ્ડ કપમાંથી આઉટ
ઓસ્ટ્રેલિયા સીધું ફાઈનલમાં પહોંચી જશે
ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મહત્વની મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાન પર રમાશે. ભારતીય ટીમ આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે બધુ દાવ પર લગાવવા માટે તૈયાર છે. જોકે પરિસ્થિતિ એવી છે કે, ઓસ્ટ્રેલિયાને એક પણ બોલ રમ્યા વિના જીતવાની તક છે.
વરસાદને કારણે જ ભારત આયરલેન્ડ સામેની જીત જીત્યું હતું
સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા ટી20 વર્લ્ડ કપમાં વરસાદે ઘણી ટીમોની રમત બગાડી નાખી છે. ભારતની આયર્લેન્ડ સામેની આખરી મેચમાં વરસાદના વિઘ્નને કારણે મેચનું પરીણામ આવ્યું હતુ. જો ગુરુવારે આવું થશે તો ભારતને નુકસાન થઇ શકે છે.
વરસાદને કારણે મેચ ન રમાય તો ઓસ્ટ્રેલિયા સીધી ફાઈનલમાં
જો વરસાદને કારણે મેચમાં નો બોલ ફેંકવામાં આવે એટલે કે મેચ રદ થાય તો ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં સીધો પ્રવેશ મળી જશે. ઓસ્ટ્રેલિયાએ તેની ગ્રુપ રાઉન્ડની તમામ મેચો જીતી લીધી છે જ્યારે ભારત ચારમાંથી એક મેચ હાર્યું છે. ઈંગ્લેન્ડના હાથે ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો.
ગ્રુપમાં જે ટીમ ટોપ પર હોય તેને મળે ફાઈનલમાં પ્રવેશ
આઇસીસીના નિયમ અનુસાર મેચ રદ થવાની સ્થિતિમાં જે ટીમ ગ્રૂપમાં ટોચ પર હશે અથવા તો સૌથી વધુ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા ગુ્રપ એમાં ટોચનું સ્થાન ધરાવતું હતું, જેના કારણે જો મેચ રદ થાય તો તેઓ સીધા જ ફાઈનલમાં પહોંચી જશે.