પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને કાર્યવાહી કરી જેનાથી સીમા પર તણાવભર્યુ વાતાવરણ છે, જેની અસર ઓસ્ટ્રેલિયાની સાથે જારી ક્રિકેટ સીરિઝ પર પડી શકે છે. સૂત્રોનુસાર, વનડે સીરિઝની ચોથી અને પાંચમી વનડે મેચ પોતાના નિર્ધારિત સ્થાનથી શિફ્ટ થઇ શકે છે. ચોથી વનડે મોહાલીના પજાંબ ક્રિકેટ એસોસિયેશનના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં 10 માર્ચના થશે, જ્યારે 5મી વનડે એટલે સીરિઝની છેલ્લી મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલામાં 13 માર્ચના રમાશે.
મોહાલી સ્ટેડિયમ ચંદીગઢ એર ફોર્સ બેઝથી માત્ર 11 કિલોમીટરની દૂરી પર છે. સૂત્રોનુસાર, બેંગ્લોરમાં ચોથી વનડે શિફ્ટ થઇ શકે છે. જ્યાં બીજી ટીમની વચ્ચે T-20 મેચ રમાઇ, ત્યારે 5મી વનડે દિલ્હીની જગ્યાએ કોલાકાતના ઇડન ગાર્ડસની રમાઇ શકે છે.
બીજી તરફ સુરક્ષા સંબંધિત સલાહ મળ્યા પછી ઓસ્ટ્રેલિયાના ઑલરાઉન્ડર મેક્સવેલે કહ્યુ કે, ''અમને હજુ સુધી કોઇ જાણકારી નથી.'' આ વિશે કર્નાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (KSCA)ના સેક્રેટરીએ જણાવ્યુ કે, ભારતીય ક્રિકેક કંટ્રોલ બોર્ડ (BCCI)એ મેચ વેન્યૂમાં બદલાવ અથવા તો આ મામલામાં કોઇ એલર્ટ જારી નથી કર્યુ.
તમને જણવી દઇએ કે, આ પ્રવાસ પર કંગારૂની ટીમ 2 T-20 સિવાય 5 વનડે મેચની સીરિઝ રમશે. સીરિઝના 2 T-20 મેચ વિશાખાપટ્ટનમ અને બેંગ્લોર (24 અને 27 ફેબ્રુઆરી)માં રમાઇ. જે પછી 2 માર્ચથી 5 વનડે મેચની સીરિઝ શરૂ થશે. વનડે સીરિઝની શરૂઆત હૈદરાબાદમાં રમાશે અને સીરિઝની અંતિમ વનડે દિલ્હી (13 માર્ચ)ના રમાઇ શકે છે.