ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં થશે. ભારત માટે પોતાના બેટીંગ ઓર્ડરને સેટ કરવો મોટો પડકાર રહેશે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત 9 ફેબ્રુઆરીથી થશે
ભારત માટે પોતાના બેટીંગ ઓર્ડરને સેટ કરવો મોટો પડકાર રહેશે
ભારતીય ટીમમાં શ્રેયસ ઐયરની જગ્યા કોણ લેશે?
9 ફેબ્રુઆરીથી બંને ટીમો વચ્ચે યુદ્ધનો શંખનાદ વાગશે
9 ફેબ્રુઆરીથી બંને ટીમો વચ્ચે યુદ્ધનો શંખનાદ વાગશે. પહેલી મેચ નાગપુરમાં છે અને બંને ટીમો જીતની તૈયારીમાં લાગી ગઇ છે. આ સાથે-સાથે પ્લેઈંગ ઈલેવન અને બેટીંગ કોમ્બિનેશન, બોલિંગ કોમ્બિનેશન પર પણ મંત્રણા ચાલુ છે. ભારતીય ટીમ માટે ખાસ કરીને તેમની બેટીંગ લાઈનઅપ સેટ કરવી એક મોટો ટાસ્ક બની ચૂક્યુ છે.
આખરે શ્રેયસ ઐયરની જગ્યા કોણ લેશે?
સવાલ એ છે કે આખરે શ્રેયસ ઐયરની જગ્યા કોણ લેશે? ટીમમાં તેમની જગ્યા લેનારા લોકોની કમી નથી. શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ જેવા બેટર આ ટીમમાં છે. ગિલ તો ધારદાર ફોર્મમાં છે. તેમણે વન-ડેથી લઇને ટી20માં સદી પર સદી ફટકારીને પોતાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાવવા માટે પ્રબળ દાવેદાર જાહેર કરી દેવાયો છે. હવે સવાલ આ છે કે શુભમન ગિલને તક મળશે કે નહીં અને જો તેઓ ટીમમાં સામેલ થયા તો પછી તેમનો બેટીંગ ઓર્ડર શુ હશે?
શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં રમશે અથવા ઓપન કરશે?
શુભમન ગિલે ટેસ્ટ ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ગિલે ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે અમુક સારી ઈનિંગ પણ રમી હતી પરંતુ આ ખેલાડી આ ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો. ગિલની ટેસ્ટ એવરેજ 32ની છે. જો કે, જે પ્રકારના ફોર્મમાં અત્યારે ગિલ છે અને તેમને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવો અયોગ્ય રહેશે. એવામાં ભારતીય ટીમ શુ ગિલને ફરીથી ટેસ્ટમાં ઓપન કરાવવાનુ વિચારશે? ટેસ્ટમાં અત્યારે રોહિત અને રાહુલ ઓપનિંગ કરે છે. રાહુલનુ ઓપનિંગ પ્રદર્શન સરેરાશ રહ્યું છે. તેમની ટેસ્ટ સરેરાશ પણ 35થી ઓછી છે તો શું ભારતીય ટીમ ગિલનુ સારું ફોર્મ જોઈને રાહુલનુ બલિદાન આપશે? શું રાહુલને મિડલ ઓર્ડરમાં રમાડવાામાં આવશે? વન-ડે ફોર્મેટમાં રાહુલે મિડલ ઓર્ડરમાં સારું પ્રદર્શન કર્યુ છે અને ભારતીય ટીમ ટેસ્ટ ફોર્મેટમાં પણ આવુ વિચારી શકે છે.