ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. ભારતીય ટીમે તેના માટે તૈયારી શરૂ કરી દીધી છે. ભારતે પ્રેક્ટિસ માટે કુલ 8 સ્પિનરોની ફોજ તૈયાર કરી છે, બીસીસીઆઈએ જેને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય કર્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થશે
ભારતે પ્રેક્ટિસ માટે કુલ 8 સ્પિનરોની ફોજ તૈયાર કરી
ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે BCCIનો મહત્વનો નિર્ણય
ચાર ખેલાડીઓને ટીમની સાથે જોડવામાં આવ્યાં
સીરીઝ પહેલા ભારતીય ટીમે એક મોટો નિર્ણય કર્યો છે અને ચાર ખેલાડીઓને ટીમની સાથે જોડવામાં આવ્યાં છે. રિપોર્ટ મુજબ, બીસીસીઆઈએ વોશિંગ્ટન સુંદર, સૌરભ કુમાર, સાઈ કિશોર અને રાહુલ ચાહરને ભારતીય ટીમ સાથે રાખ્યાં છે. આ બધાને નેટ બોલર તરીકે ટીમની સાથે રાખવામાં આવ્યાં છે, જે આખી સીરીઝ માટે ભારતીય ટીમની સાથે રહેશે.
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી પહેલા ભારત તૈયારીમાં જોડાયુ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટની શ્રેણી યોજાવાની છે, જેમાં સ્પિનરોની બોલબાલા રહેવાની છે. એકબાજુ ઓસ્ટ્રેલિયા ભારતીય સ્પિનરો સામે ટક્કર લેવાની તૈયારી કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ ભારતીય ટીમ પણ પોતાની તૈયારીમાં લાગી ગયુ છે.
નેટ સ્પિનર તરીકે જે ખેલાડી આવ્યાં છે, તેઓ પણ સ્પિનર છે. જ્યારે ભારતની પાસે જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ જેવા ચાર ફાસ્ટ બોલર પણ છે, જે પ્રેક્ટિસ અને મેચ બંને જગ્યાએ કામ આવી શકે છે. જો સ્પિનરોની વાત કરીએ તો સ્કવોડમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો પણ સમાવેશ થાય છે. એટલેકે પ્રેક્ટિસ દરમ્યાન ભારત પાસે કુલ 8 સ્પિનરો હશે, એવામાં બેટરોની પાસે તૈયારી કરવાની ભરપૂર તક હશે.