ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ T-20 ઇન્ટરનેશનલ મેચ ચાર રને હાર્યા બાદ કહ્યું ''આ હારનું વધુ દુખ નહી થાય કારણ કે સીરિઝની બાકી રહેલી 2 મેચ 23 અને 25 નવેમ્બરે રમાવાની છે. '' ઉલ્લેખનીય છે કે ડકવર્થ લુઇસના આધારે ભારતને જીતવા માટે 174 રનનો પડકાર મળ્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા 17 ઓવરમાં 7 વિકેટે 169 રન જ બનાવી શકી હતી.
વિરાટ કોહલીએ કહ્યું ''જ્યારે પણ અમારા ત્રણથી ચાર ખેલાડી સારૂ પ્રદર્શન કરશે તે અમારો દિવસ હશે. આ મામલે વધુ વિચારવાનો સમય નથી જે સારી વાત છે અને ખરાબ વાત પણ છે.' કોહલીએ કહ્યું કે રિષભ પંતનું 19મી ઓવરમાં આઉટ થવુ મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયુ હતું.''
વિરાટ કોહલીએ 42 બોલમાં 76 રનની ઇનિંગ રમનારા શિખર ધવનની પણ પ્રશંસા કરી હતી. જે લાંબા સમયથી ફોર્મ માટે ઝઝુમી રહ્યો હતો. ભારતીય કેપ્ટને કહ્યું તે (ધવન) ટોપનો ઘણો મજબૂત ખેલાડી છે તેને T-20માં સેન્ચુરી નથી ફટકારી પરંતુ તે જે રીતે બેટિંગ કરે છે તેનાથી ટીમને ફાયદો થાય છે.'
વિરાટે મેચ પછી કહ્યુ કે ''આ ખૂબ જ નજીકની મેચ હતી ઓડિયન્સ માટે આ રોમાંચક મેચ રહી હશે જેમાં ક્યારેક એક પક્ષનો તો ક્યારેક બીજા પક્ષનો દબદૂો હતો અમારી બેટિંગની શરૂઆત સારી હતી પરંતુ વચ્ચેની ઑવરમાં અમારા પરફૉર્મન્સ પર અસર પડી. છેલ્લે અમને લાગ્યુ કે પંત અને કાર્તિક મેત જીતાડી દેશે પરંતુ પંતના આઉટ થવાથી બાજી પલટાઇ ગઇ.''
વિરાટે આગળ કહ્યુ કે ''પંત અને કાર્તિકે 3.5 ઓવરમાં 51 રનની પાર્ટરનશિપ કરી હતી જેને કારણે ટીમ ઇન્ડિયા જીત તરફ આગળ વધતુ હતુ પરંતુ આ વિકેટકીપર બેટ્સમેન ટાઇના બોલ પર આઉટ થતા મેચનું પરિણામ પલટાઇ ગયુ હતું.''