ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સીરિઝની ચોથી ટેસ્ટ અમદાવાદમાં 9 માર્ચે શરૂ થવાની છે. ઈંદૌર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હવે ભારતીય ટીમની નજર છેલ્લી મેચમાં વાપસી પર છે.
અમદાવાદમાં 9 માર્ચે શરૂ થશે ચોથી ટેસ્ટ
ઈંદૌર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની થઈ હતી હાર
શું ભારતીય ટીમ છેલ્લી મેચમાં કરી શકશે વાપસી?
ભારતના વરિષ્ઠ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અમદાવાદમાં નવ માર્ચથી શરૂ થતી ચોથી ટેસ્ટની છેલ્લી પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળવાની આશા છે. શમીને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો.
ઈંદૌર ટેસ્ટમાં ઉમેશ યાદવને કરવામાં આવ્યો હતો સામેલ
ભારતીય ટીમ મેનેજમેન્ટ, મેડિકલ સ્ટાફ સાથે વાત કરીને IPLની મોટાભાગની મેચોને રમનાર અને એકદિવસીય વિશ્વ કપની યોજનામાં સામેલ એવા ફાસ્ટ બોલરોના વર્કલોડ મેનેજમેન્ટ માટે એક યોજના બનાવી છે. શમી પ્રથમ બે ટેસ્ટ રમ્યો હતો અને તે ODI ટીમનો પણ ભાગ છે. ઈંદૌર ટેસ્ટમાં ટીમમાં તેની જગ્યા પર ઉમેશ યાદવને સામેલ કરવામાં આવ્યો હતો.
શરૂઆતની ત્રણ ટેસ્ટમાં સિરાઝે ફક્ત 24 ઓવર બોલિંગ કરી છે અને 17થી 22 માર્ચ સુધી રમાવા જઈ રહેલી ત્રણેય વનડેમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે. એવામાં તેમને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમનાર છેલ્લી ટેસ્ટમાં રેસ્ટ આપવામાં આવી શકે છે.
અત્યાર સુધી સૌથી શાનદાર ફાસ્ટ બોલર
શમી આ સીરિઝમાં અત્યાર સુધી સૌથી બેસ્ટ ફાર્સ્ટ બોલર રહ્યો છે. તેણે બે મેચોમાં 30 ઓવર નાખી અને 7 વિકેટ લીધી. મોટેરાની સુકી પિચ પર ટીમને તેમની વધારે જરૂર હશે. આવી પિચ રિવર્સ સ્વિંગ માટે અનુકુળ હોઈ શકે છે.