હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પહોંચી છે. જ્યાં તે 3 ટી-20 4 ટેસ્ટ અને 3 વન ડે મેચની શ્રેણી રમશે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ગયેલી ભારતીય ટીમ આ વખતે ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે.
ટીમ ઇન્ડીયાના દરેક ખેલાડીઓ શ્રેણીને લઇને ઉત્સાહમાં જોવામાં આવી રહ્યાં છે ત્યારે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીને સતત એક ટીમ ઇન્ડિયાના એક ખેલાડીની ખોટ દેખાઇ રહી છે. આ ખેલાડીનું નામ છે હાર્દિક પંડયા.
ઓસ્ટ્રેલિયા પહોંચેલા રવિ શાસ્ત્રીએ કહ્યું કે ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટીમમાં ન હોવાથી એક વધારાના બોલરની ખોટ ટીમને પહોંચશે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે અમને એક ખેલાડીની ખોટ પડશે અને તે છે હાર્દિક પંડ્યા જે ઇજાગ્રસ્ત છે.
તે એક ફાસ્ટ બોલર તેમજ એક બેટ્સમેન આમ તે ટીમ ઇન્ડિયામાં ઓલ રાઉન્ડરની ભૂમિકા અદા કરે છે. જેના કારણે અમે એક વધારાના બોલરને રમાડી શકીએ છીએ.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે આશા રાખીએ છીએ હાર્દિક પંડયા ઇજામાંથી ઝડપી બહાર આવે અને ટીમ ઇન્ડિયા વતી ફરી રમે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે જો ભારતીય ફાસ્ટ બોલર સારું પ્રદર્શન કરશે તો હાર્દિક ખોટ ટીમ ઇન્ડિયાને દેખાશે નહીં.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે છેલ્લા થોડા સમયથી ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની ચમક ગુમાવી દીધી છે. પરંતુ મારું માનવું છે કે કોઇપણ ટીમ પોતાના ઘરેલું મેદાનમાં ક્યારેય કમજોર હોતી નથી. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીને આશા છે કે ભારતીય ફાસ્ટ બોલર ઓસ્ટ્રેલિયાની પીચ પર સારું પ્રદર્શન કરશે.