ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટી-20 મેચ
આ 11 ભારતીય ખેલાડીઓ આપશે ટક્કર
મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે
સીરિઝની પહેલી મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીતી હતી, ત્યારબાદ ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવીને શાનદાર વાપસી કરી હતી. હવે આજે ત્રીજી વનડે સીરિઝ બેંગાલુરુમાં રમાશે અને જે ટીમ આ મેચ જીતશે, સીરિઝ તેના નામે થશે.
ઓપનર્સ
શિખર ધવન અને રાહુલ શર્મા ટીમ ઈન્ડિયાની ઓપનિંગ કમાન સંભાળશે. રોહિત શુક્રવારે ફીલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, પરંતુ કોહલીને વિશ્વાસ હતો કે આ સ્ટાર ઓપનિંગ બેટ્સમેન ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થનારી નિર્ણાયક મેચમાં જોરદાર પર્ફોમન્સ આપશે.
નંબર 3
3 નંબર પર કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની આ વનડેમાં વિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ મેચ કરી શકે છે. જો કોહલી ભારતમાં બીજી સદી ફટકારે છે, તો તે તેંડુલકરની જેમ ઘરમાં સદી ફટકારનાર બેટ્સમેન બની જશે. વનડેમાં 49 સદી ફટકારનારા તેંડુલકરે ભારતમાં 20 સદી ફટકારી છે. કોહલીએ અત્યાર સુધી પોતાના ઘરે 19 સદી ફટકારી છે.
નંબર 4
શ્રેયસ અય્યરને 4 નંબર પર તક મળશે. શ્રેયસ અય્યરનો સ્ટ્રાઈક રેટ પણ ખૂબ સારો છે.
નંબર 5
કેએલ રાહુલને વિકેટ કીપિંગ રાખવામાં આવશે અને 5 નંબર પર બેટિંગ કરશે. રાજકોટમાં ભારત માટે રાહુલની ઇનિંગ્સ સૌથી મહત્વની હતી, જે તેણે પાંચમાં ક્રમે રમી હતી. આનાથી નવી શક્યતાઓ ઊભી થઈ છે જે ટીમના સંતુલનને સુધારવામાં મદદ કરી શકે છે.
નંબર 6
મનીષ પાંડે 6 નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે. જોકે, છેલ્લી મેચમાં મનીષ પાંડે 2 રન બનાવીને આઉટ થયો હતો.
ઓલરાઉન્ડર
લેફ્ટ હેન્ડ સ્પિનર રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરની ભૂમિકામાં ફિટ બેસે છે.
સ્પિન વિભાગ
આ મેચમાં કુલદીપ યાદવ સ્પિન વિભાગમાં રમતો જોવા મળશે. ગત વર્ષે કુલદીપ યાદવ શ્રેષ્ઠ પ્રદર્શન આપી શક્યો નહોતો, પરંતુ છેલ્લી મેચમાં તેણે એક ઓવરમાં એલેક્સ કેરી અને સ્ટીવ સ્મિથની વિકેટ લઈને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.
ફાસ્ટ બોલરો
મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને નવદીપ સૈની ફાસ્ટ બોલિંગ એટેકમાં જોડાશે અને તેમને ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેનના પડકારનો સામનો કરવો પડશે.