ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વન ડે શ્રેણીની આજે બીજી વન મેચ રમાઇ રહી છે જેમાં ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જ્યારે ભારતની ટીમમાં એક ફેરફાર કરાયો છે જેમાં ખલીલ અહેમદની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક મળી છે. સિરાજ વન ડેમાં પોતાનો ડેબ્યુ કરી રહ્યો છે. ત્રણ વન ડે મેચની શ્રેણીમાં પ્રથમ વન ડે મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.
આમ ભારતની ટીમ શ્રેણી બચાવવા મેદાનમાં ઉતરશે. ભારત માટે આજની વન ડે મેચ કરો યા મરો. જો કે ટીમ ઇન્ડિયાનો એડિલેડ ખાતે રેકોર્ડ સારો રહ્યો નથી. બંને ટીમ વચ્ચે અહીં 5 વન ડે મેચ રમાઇ છે જેમાં યજમાન ટીમે 4 અને માત્ર 1 મેચમાં ભારતને જીત મળી છે.
સિડની વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને 34 રને પરાજય આપ્યો હતો. આમ આજની એડીલેડ ખાતેની વન ડે જો ભારત હારશે તો શ્રેણી ગુમાવશે. ભારતીય ટીમમાં ઓલરાઉન્ડની કમી જોવા મળી રહી છે. જો બીજી વન ડે મેચમાં ધોની બેટિંગ ક્રમમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.
બીજી વન ડે મેચમાં ભારતની અંતિમ ઇલેવન ટીમ આ પ્રમાણે છે.
શિખર ધવન રોહિત શર્મા વિરાટ કોહલી અંબાતી રાયડુ દિનેશ કાર્તિક એમએસ ધોની રવિન્દ્ર જાડેજા કુલદીપ યાદવ ભુવનેશ્વરકુમાર મોહમ્મદ શમી મોહમ્મદ સિરાજ