ટી-20 વર્લ્ડ કપ 2021માં આખરે ભારતીય ટીમે પ્રથમ વખત જીતનું ખાતુ ખોલાવી દીધુ છે. અબુધાબીમાં બુધવારે રાત્રે અફઘાનિસ્તાનને 66 રનના મોટા અંતરથી હરાવ્યું. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામેની મેચમાં જૂની ભૂલોમાંથી શીખીને આ વખતે વિરાટ બ્રિગેડે શાનદાર પ્રદર્શન કર્યુ.
થર્ડ એમ્પાયરના નિર્ણયથી કેપ્ટન કોહલી અને જાડેજા નારાજ
જાડેજાની ફિલ્ડીંગે સૌ કોઈનું દિલ જીતી લીધુ
ભલે આ મેચમાં ભારતીય ટીમના હીરો રોહિત શર્મા (74) અને કેએલ રાહુલે (69) રન બનાવ્યાં. જેણે પ્રથમ વિકેટ માટે 140 રનની ભાગીદારી નોંધાવી. પરંતુ રવિન્દ્ર જાડેજાએ પોતાની ફિલ્ડીંગ દ્વારા સૌ કોઈનું દિલ જીતી લીધુ.
જાડેજાએ હવામાં ડાય મારી કેચ પકડ્યો
જ્યારે અફઘાનિસ્તાન ટીમની 19મી ઓવર ચાલતી હતી. તે વખતે મોહમ્મદ શમીની ઓવરમાં બીજા બોલમાં કરીમ જન્નતે શોટ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શોટની ટાઈમિંગ સારી ના હોવાથી રવિન્દ્ર જાડેજાએ હવામાં ડાય મારી કેચ પકડી લીધો. જાડેજા પોતાની વાત પર મક્કમ હતા અને ટીમના અન્ય ખેલાડીઓએ પણ જાડેજાના પ્રયાસના વખાણ કર્યા. મેદાનમાં ઉભા રહેલા એમ્પાયર મુંઝવણમાં હતા. તેથી તેમણે સોફ્ટ સિગ્નલ આઉટ આપી થર્ડ એમ્પાયર તરફ ઈશારો કર્યો. થર્ડ એમ્પાયરે આખરે બેટરના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો.
થર્ડ એમ્પાયરના નિર્ણયથી ઘણાં લોકો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. તો જાડેજા અને કેપ્ટન વિરાટ કોહલી આ નિર્ણયથી નારાજ થયા હતા. જોકે, એમ્પાયરના આ નિર્ણયની મેચ પર કોઈ ખાસ અસર પડી નહીં. કારણકે તે વખતે મેચ ભારતના પક્ષમાં આવી ગઇ હતી.
Incredible effort by Ravindra Jadeja but Third Umpire given notout and Ravindra Jadeja and Virat Kohli looks unhappy. pic.twitter.com/kz34LLyJOE