પોતાના જુના વલણથી વિરૂદ્ધ જઇને ભારતે સંયુક્ત રાષ્ટ્ર(UN)ની આર્થિક અને સામાજીક પરિષદ(ECOSOC)માં ઇઝરાયેલના સમર્થનમાં મતદાન કર્યું હતું. આ મતદાન સંયુક્ત રાષ્ટ્રમાં ફિલસ્તીનના માનવ અધિકાર સંગઠન 'શહીદ'ને અલગ દરજ્જો આપવા માટે છે.
ઉલ્લેખનીય છે કે, ગત 6 જૂનના રોજ થયેલ મતદાનમાં ઇઝરાયેલના પક્ષમાં ભારત સિવાય અમેરિકા, ફ્રાન્સ, જર્મની, જાપાન, બ્રિટેન, દક્ષિણ કોરિયા તથા કેનેડાએ મતદાન કર્યું હતું. તો આ તરફ ચીન, રશિયા, સાઉદી અરેબિયા, પાકિસ્તાન સહિત કેટલાક અન્ય રાષ્ટ્રોએ ફિલસ્તીનની સંસ્થાના સમર્થનમાં મતદાન કર્યું હતું. જો કે, શહીદને સફળતા મળી શકી નહોંતી અને પ્રસ્તાવને 28-14 થી રદ્દ કરવામાં આવેલ.
Thank you #India for standing with @IsraelinUN and rejecting the request of terrorist organization “Shahed” to obtain the status of an observer in #UN. Together we will continue to act against terrorist organizations that intend to harm. pic.twitter.com/erHTfuY1A1
આપને જણાવી દઇએ કે, ભારતે પોતાના 2 દાયકા જુના સિદ્ધાંતથી આગળ વધીને ઇઝરાયેલના સમર્થનમાં પોતાનો મત રજૂ કર્યો હતો. જો કે, અત્યાર સુધી ભારત ઇઝરાયેલ તથા ફિલસ્તીન બંન્નેને અલગ તથા સ્વતંત્ર દેશ સ્વરૂપે જોવા ઇચ્છતું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતનું જુનું વલણ પશ્ચિમ એશિયામાં શાંતિ લાવવાનો હતો. પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં બદલાયેલ પરિસ્થિતીને ધ્યાને રાખીને ઇઝરાયેલ તરફી મતદાન કર્યું હતું.