ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આ સંપૂર્ણ રીતે ચીન પર નિર્ભર છે કે દ્વિપક્ષીય સંબંધો કઇ દિશામાં લઇ જવા ઇચ્છે છે. ચીને આ મુદ્દે સાવધાનીથી વિચાર કરવો જોઇએ. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે બંને દેશોની વચ્ચે સૈન્ય ટક્કર ન થાય તેનો એક માત્ર ઉપાય છે કે ચીન LAC પર નિર્માણ કાર્ય ઝડપથી બંધ કરે.
સીમાં વિવાદ મામલે ભારતનો ચીનને સ્પષ્ટ જવાબ
ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ સીમા વિવાદ પર મુક્યો પક્ષ
ચીન નક્કી કરે બન્ને દેશના સંબંધો કઈ દિશામાં લઈ જવા
સરહદ મામલે યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ ન કરે ચીન
સમાચાર એજન્સી PTI સાથેના એક ઇન્ટરવ્યુંમાં વિક્રમ મિસ્રીએ કહ્યું કે મને ભરોસો છે કે ચીન આ મુદ્દા પર પોતાની જવાબદારીને સમજે અને LAC પર તણાવને દૂર કરશે અને ત્યાંથી પાછા હટવાની પ્રક્રિયા શરૂ કરશે
વિક્રમ મિસ્રીએ કહ્યું કે ચીને સરહદ ક્રોસ કરી ભારતની સરહદમાં આવવા અને ભારતીય જમીન પર નિર્માણ કરવાની ગેરકાયદેસર કામને બંધ કરી દેવા જોઇએ.
Whatever activities we may be carrying out have always been on our side of the LAC so the Chinese need to stop activities to alter the status quo. It is very surprising that they should attempt to do so in a sector which has never before been a sector of concern.
ભારતના રાજદૂતે ગલવાન ઘાટી પર ચીનના કોઇ પણ દાવાને ફગાવતાં કહ્યું કે ગલવાન ઘાટી પર ચીન તરફથી સાર્વભૌમત્વનો દાવો બિલકુલ જ અસમર્થનીય છે અને આ રીતે મુદ્દાને ચગાવીને દાવો કરવાથી ચીનને કોઇ ફાયદો થવાનો નથી.
LAC પર હાલની પરિસ્થિતિ બદલાવની અસર દ્વિપક્ષીય સંબંધો પર
વિક્રમ મિસ્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે LAC પરની હાલની પરિસ્થિતિ બદલવાના ચીનના પ્રયત્નોની અસર બંને દેશોન વચ્ચેના મહત્વાના દ્વિપક્ષીય સંબંધો પર પડી શકે છે.