પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અમેરિકી રાજનીતિમાં હલચલ મચી ગઇ છે. અમેરિકામાં 230થી વધારે ભારતીય-અમેરિકન ગ્રુપોએ ડેમોક્રેટિક પાર્ટીનાં સાંસદ રો ખન્નાને ચિઠ્ઠી લખી તેઓને પાકિસ્તાન સાથે જોડાયેલા એક ગ્રુપમાં અલગ થવાનું કહ્યું છે. ભારતીય-અમેરિકીઓએ અપીલ કરી છે કે આ અમેરિકા અને ભારતનાં હિતો વિરૂદ્ધ છે.
PAK મામલાઓની સમિતિમાં શામેલ થયા રો ખન્ના
ભારતીય-અમેરિકીઓએ અપીલ કે, 'આ અમેરિકા અને ભારતનાં હિતો વિરૂદ્ધ'
ડેમોક્રેટ્સ પાર્ટીથી સાંસદ છે રો ખન્ના
રો ખન્ના આપનું આ કમિટીમાં શામેલ થવું યોગ્ય નહીં: હિંદુ અમેરિકન ફાઉન્ડેશન
42 વર્ષનાં રો ખન્ના (Ro Khanna) ડેમોક્રેટિક પાર્ટીનાં સાંસદ છે. અમેરિકી કોંગ્રેસ દ્વારા પાકિસ્તાનનાં મુદ્દાઓ પર બનાવવામાં આવેલ સાંસદોનાં ગ્રુપમાં રો ખન્ના પણ શામેલ થયા છે. પરંતુ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયનાં લોકોને આ ના ગમ્યું. માત્ર પાકિસ્તાનનાં મુદ્દાઓ પર જ નહીં પરંતુ તેઓ ભારતનાં મુદ્દાઓ પર બનેલા સાંસદોનાં ગ્રુપનો પણ ભાગ છે.
હિંદુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) તરફથી રો ખન્નાને ચિઠ્ઠી લખવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હ્યૂમન રાઇટ્સનાં મામલાઓમાં આગળ હોવાને કારણ આપ પાકિસ્તાન સાથે જોડાયેલી સમિતિમાં શામેલ થયાં, આવું આપે ન હોતું કરવું જોઇતું હતું.
ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું કે, પાકિસ્તાન સતત અફઘાનિસ્તાનમાં અમેરિકી હિતો વિરૂદ્ધ કામ કરે છે. આ સાથે સાથે ભારત વિરૂદ્ધ પણ યુદ્ધ કરતું રહ્યું છે. ત્યારે એવામાં બંને તરફથી આપનું આ રીતની કમિટીમાં શામેલ થવું એ યોગ્ય નહીં.
ચિઠ્ઠીમાં એમ પણ લખવામાં આવ્યું છે કે હિંદુ, શીખ, ક્રિશ્ચિયન અને શિયા સમુદાયનાં લોકો વિરૂદ્ધ પાકિસ્તાન માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. એવામાં કોઇ પણ રીતે તેની સાથે પોતાનું નામ જોડવું એ યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સતત દુનિયામાં અલગ-અલગ થતું જોવાં મળી રહ્યું છે અને દરેક જગ્યાએ ભારતને મુકાબલે તેઓને કડવો જ અનુભવ થતો રહ્યો છે.
આ જ કારણ છે કે ભારતીય સમુદાયનાં લોકોએ રો ખન્નાને આ કમિટી છોડવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આગામી સપ્તાહે પ્રધાનમંત્રી મોદી અમેરિકા જશે. પીએમ મોદીને 27 સપ્ટેમ્બરનાં રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવાનાં છે. એવામાં આ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ UNGAને સંબોધિત કરશે.