ભારતે ચીનના એ આમંત્રણને ફગાવી દીધું છે જેમાં એને બેલ્ટ એન્ડ રોડ ફોરમની એ મહિને થનારી બીજી બેઠકમાં સામેલ થવા માટે ભારતને સત્તાવાર આમંત્રણ મોકલ્યું હતું. ભારતે આ પહેલા 2017માં થયેલી પહેલી બેઠકનો પણ બહિષ્કા કર્યો હતો.
ભારતનું એને લઇને સ્પષ્ટ કહેવું છે કે ચીનની આ યોજના એમની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે. પાકિસ્તાનની સાથે મળીને ચીને ચીન પીકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર બનાવ્યો છે જે વિવાદિત ગિલગિત બલિસ્તાન ક્ષેત્રથી પસાર થાય છે.
ચીનને આશા હતી કે ભારત બીઆરઆઇને લઇને પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરશે અને એમાં ભાગ લેશે. હત વર્ષે બંને દેશોના સંબંધોમાં આવેલા ફેરફાર બાદ એને આશા હતી કે ભારત આ વખતે બેઠકમાં સામેલ જરૂર થશે. એપ્રિલ 2018એ વુહાનમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે અનૌપચારિક બેઠક કરી હતી. જેનાથી લાગી રહ્યું હતું કે ભારત બેઠકમાં પોતાનું પ્રતિનિધિ મોકલશે.
બેઠકમાં ભાગ લેવા માટે ચીની અધિકારીઓએ વિદેશ મંત્રાલયને દત મહિના આમંત્રણ મોકલ્યું હતું પરંતુ ભારતે સીપીઇસીને લઇને જારી પોતાની ચિંતા ફરીથી વ્યક્ત કરી.