તુર્કી અને સીરિયાની વચ્ચે ચાલી રહેલા વિવાદ, જમ્મૂ કાશ્મીરની સમસ્યા પર તુર્કીના વલણની વચ્ચે આ એડવાઇઝરી સામે આવી છે. બુધવારે જારી કરવામાં આવેલી એડવાઇજરીમાં તમામ યાત્રીઓને અત્યંત સાવધાની રાખવાની જરૂર છે.
ભારત સરકારે તુર્કી માટે જારી કરી એડવાઇઝરી
તુર્કી જતા યાત્રીઓને સાવધાની રાખવા માટે કહ્યું
કાશ્મીર પર Pakનું સમર્થન કરી ચુક્યું છે તુર્કી
ભારત સરકારે જારી કરી એડવાઇઝરી
બુધવારે તુર્કીમાં મોજૂદ ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી. એમાં લખવામાં આવ્યું છે, 'ભારત સરકારની પાસે સતત તુર્કીમાં યાત્રા કરવાને લઇને પ્રશ્ન કરવામાં આવી રહ્યા હતા, તુર્કીની હાલની સ્થિતિને જોતા લોકો ખૂબ જ ચિંતિતિ લાગી રહ્યા છે. જો કે, આ પ્રકારનો કોઇ રિપોર્ટ સામે આવ્યો નથી જેમાં કોઇ ભારતીય નાગરિકને નુકસાન થયું હોય તેમ છતાં કોઇ પણ યાત્રી તુર્કી યાત્રા કરતાં સાવધાની રાખે.'
દૂતાવાસ દ્વારા એની સાથે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે અને કોઇ પણ સ્થિતિમાં એમની સાથે સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.
પીએમ મોદીએ પ્રવાસ કર્યો રદ
ભારતની આ એડવાઇઝરી પહેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના તુર્કીનો પ્રવાસ રદ કર્યો હતો. પીએમ મોદીને આ મહિનાના અંતમાં સાઉદી અરબ બાદ તુર્કી જવાનું હતું, પરંતુ બાદમાં આ પ્રવાસ રદ થઇ ગયો.
જમ્મૂ-કાશ્મીરની સમસ્યા પર શું છે તુર્કીનું વલણ?
જણાવી દઇએ કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને સંયુક્ત રાષ્ટ્ર મહાસાભામાં જમ્મૂ-કાશ્મીરની સમસ્યા પર નિવેદન આપ્યું હતું અને પોતાના સુરોને પાકિસ્તાનની સાથે મળાવ્યો હતો. આ ઉપરાંત એમને FATFની બેઠકમાં પણ ખુલ્લી રીતે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું.
સીરિયાની સાથે થઇ રહ્યો છે વિવાદ
એક તરફ તુર્કી ભારતની સાથે જમ્મૂ-કાશ્મીરની સમસ્યા પર વિવાદ કરી રહ્યું છે તો બીજી બાજુ આ વખતે એનું સીરિયા સાથે પણ જોરદાર વિવાદ ચાલી રહ્યો છે.