ભારતીય ટીમની કેચિંગ સારી માનવામાં આવે છે. છતા ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર વર્લ્ડ કપમાં સીધા થ્રોને અચુક બનાવવા માટે તેમા સુધાર ઇચ્છી રહ્યા છે.
રવીન્દ્ર જાડેજાને છોડીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓનો વિકેટ પર નિશાનો સારો નથી. ભલે તે ચુસ્ત અને સ્ફૂર્તિલા હોય. ટીમ ઇન્ડિયા વર્તમાન વર્લ્ડ કપમાં પોતાના અભિયાની શરૂઆત 5 જૂને સાઉથેમ્પટનમાં કરશે. પહેલી મેચમાં તેનો સામનો સાઉથ આફ્રિકા સાથે થશે.
શ્રીધરે 'રાઉન્ડ ધ ક્લૉક' ક્ષેત્રરક્ષણ ડ્રિલ તૈયાર કરી છે. જેમા ફીલ્ડર 6 વિભિન્ન પોજિશનથી નૉન સ્ટ્રાઇકરથી વિકેટ પર બોલ મારે છે.
શ્રીધરે નેટ સત્ર બાદ બીસીસીઆઇ ટીવીને જણાવ્યું કે, 'અમે રસપ્રદ ક્ષેત્ર રક્ષણ સત્રમાં ભાગ લીધો. આ સત્રનો ઉદ્દેશ્ય સીધા હિટ કરવાનો હતો. અમારું ધ્યાન એના પર હતું કે ખેલાડી વિભિન્ન સાઇડથી નૉન સ્ટ્રાઇકર છેડેથી સટીક નિશાન લગાવે. શરૂઆતમાં અમે એક ડ્રિલ 'રાઉન્ડ ધ ક્લૉક'થી શરૂઆત કરી, જેમા ખેલાડીઓએ 6 અલગ-અલગ એંગલથી 20 વાર સ્ટંપને હિટ કરવાના હતા.