ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે આગામી ટેસ્ટ અને વન-ડે સિરીઝ દર્શકો વિના રમાશે. સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમે કોરોના વાયરસના પ્રકોપને પગલે કોઈ પણ ટિકિટ નહીં વેચવાનો નિર્ણય કર્યો છે.
સાઉથ આફ્રિકામાં આગામી ટેસ્ટ અને વન-ડે સિરીઝ દર્શકો વિના રમાશે
કોરોના વાયરસના પ્રકોપને પગલે કોઈ પણ ટિકિટ વેચાશે નહીં
બોર્ડે ખેલાડીઓની સુરક્ષા માટે એક સંયુક્ત નિર્ણય કર્યો
બંને ટીમો 26 ડિસેમ્બરથી ત્રણ ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચની શ્રેણી રમવાની છે. ટેસ્ટ મેચ સેન્ચ્યુરિયન, કેપટાઉન અને જોહાનિસબર્ગમાં રમાશે. જ્યારે પાર્લ અને કેપટાઉનમાં વન-ડે મેચ રમાશે.
બંને દેશોના ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની સુરક્ષા માટે કર્યો નિર્ણય
સીએસએના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ખૂબ અફસોસની સાથે સીએસએ ક્રિકેટના સૌથી ઉત્સાહી પ્રશંસકોની સાથે-સાથે દરેક ક્રિકેટ પ્રેમીઓને સૂચિત કરવામાં આવે છે કે વિશ્વભરમાં વધી રહેલા કોવિડ-19ના કેસો અને સ્થાનિક સ્તરે ચોથી લહેરના કારણે બંને દેશોના ક્રિકેટ બોર્ડે ખેલાડીઓની સુરક્ષા માટે એક સંયુક્ત નિર્ણય કર્યો છે અને ભારતની સામેના મુકાબલા માટે ટિકિટ ઉપલબ્ધ નહી કરાવવાનો નિર્ણય કર્યો છે.
બધી મેચો સુપરસ્પોર્ટ અને એસએબીસી પ્લેટફોર્મ પર પ્રસારિત કરાશે
આ નિર્ણય કોઈ પણ ઉલ્લંઘનથી બચવા માટે કરવામાં આવ્યો છે, જે કોવિડ-19ના સંકટને ધ્યાનમાં રાખીને સમજૂતી કરી શકતુ હતુ. આ ઉપરાંત કોરોના મુક્ત બાયો બબલ વાતાવરણ જાળવી રાખવામાં પણ તેનાથી મદદ મળશે. આ સ્તરે અમે બધા ક્રિકેટ ચાહકોને યાદ અપાવીશુ કે બધી મેચ સુપરસ્પોર્ટ અને એસએબીસી પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે. આ સિવાય ક્રિકેટનો વધુ વિસ્તાર વધારવા માટે ચાલી રહેલા પ્રયાસો હેઠળ સીએસએ અન્ય વિકલ્પ સર્ચ કરી રહ્યું છે.
દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે મંજાસી સુપર લીગને બીજી વખત રદ્દ કરી
આ દરમ્યાન સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે સોમવારે મંજાસી સુપર લીગને બીજી વખત રદ્દ કરી. અગાઉ 2020ના સત્રને પણ કોરોના મહામારીને કારણે રદ્દ કરાયુ હતુ. ઉલ્લેખનીય છે કે, એમએસએલનું આયોજન ફેબ્રુઆરીમાં થવાનુ હતુ. પરંતુ બોર્ડે કહ્યું કે કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસાર થયા બાદ ઘણાં દેશોએ સાઉથ આફ્રિકાની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે. એવામાં આ ટુર્નામેન્ટને રદ્દ કરવાની ફરજ પડી.