રાજસ્થાનથી 1037 કિલોમીટરની ભારત-પાક સરહદ પર ઘૂસણખોરી અટકાવવા હવે કોબ્રા વાયર છોડી દેવામાં આવશે. ઘૂસણખોરી અને પાક. રેન્જર્સની પ્રવૃત્તિઓની દેખરેખ રાખવા માટે લેસર અને કેમેરાનો પહેલેથી જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે કોબ્રા વાયરને છોડ્યા બાદ દેખરેખ મજબુત થઇ જશે.
પંજાબ પાસે રાજસ્થાનની હદમાં 12 કિલોમીટર ક્ષેત્રમાં કરંટ છોડવાનો પ્રયોગ સફળ થયા બાદ હવે સમગ્ર આંતરરાષ્ટ્રીય સરહદ પર આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. વર્તમાન સમયમાં સરહદ પર લોખંડના વાયરો વચ્ચે કાટાવાળા વાયર ગોઠવવામાં આવ્યા છે છતાં ઘણી વાર ઘૂસણખોરીના પ્રયાસો થાય છે.
જ્યારે હવે કાંટાવાળા વાયરના સ્થાને રેઝર વાયર (બ્લેડ વાયર) મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે કોબ્રા વાયર મૂકવાની કામગીરી પણ શરૂ થઈ છે. પંજાબની સરહદ પર કોબ્રા વાયરમાં કરંટ છોડ્યા બાદ ઘૂસણખોરી અને તસ્કરીની ઘટનાઓમાં ઘટાડો થયો છે.
ઉલ્લેખીય છે કે રાજસ્થાનના ચાર જીલ્લાઓ પાકિસ્તાનની સરહદને અડે છે જેમાં સૌથી વધુ 433 કિ.મી જૈસલમેર 233 કિ.મી બાડમેર 211 કિ.મી શ્રીગંગાનગર અને 160 કિ.મી બીકાનેર જીલ્લાની હદ પાકિસ્તાનને અડીને આવેલી છે.