વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વર્ષ 2003 સુધી બંને દેશો વચ્ચે LAC ના નિર્ધારણને લઈને પ્રયત્નો થઈ રહ્યા હતા, જેના પછી ચીને આ વાતમાં કોઈ રસ દાખવ્યો નહોતો, એટલે આ પ્રક્રિયા રોકી દેવામાં આવી. એટલે ચીન નું એવું કહેવું કે માત્ર એક જ LAC છે તે વાયદો તોડવા બરાબર છે.
ભારતનો ચીનને સ્પષ્ટ ભાષામાં જવાબ
અમે 1959 ની એકપક્ષીય LAC ને નથી માનતા : વિદેશ મંત્રાલય
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ બોર્ડર પર છે તણાવની સ્થિતિ
વિદેશ મંત્રાલય એ કહ્યું હતું કે ભારત એ ક્યારેય પણ 1959 માં એકપક્ષીય રીતે ડિફાઇન કરવામાં આવેલી LAC ને સ્વીકારી નથી, અને હજુ સુધી અમારું આ જ સ્ટેન્ડ છે અને તે ક્લિયર છે.
ભારત અને ચીન વચ્ચે વધી રહી છે તકરાર
ભારત અને ચીન ના વચ્ચે સીમા વિવાદ ની તકરાર હજુ વધતી જ જઈ રહી છે, મંગળવારે ભારતીય વિદેશ મંત્રાલય એ કહ્યું હતું કે ભારતે ક્યારેય પણ 1959 માં એકપક્ષીય રીતે નિર્ધારિત કરાયેલી LAC ને સ્વીકારી નથી, આજે પણ માનતું નથી અને અમારા આ સ્ટેન્ડ ની ચીન ને જાણ છે.
ભારતે વધુ માં કહ્યું હતું કે, પાડોશી દેશે તેના એકતરફી કાર્યવાહી થી બચવું જોઈએ. પૂર્વી લદ્દાખ માં છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા સીમા વિવાદ ને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બીજિંગ ની અ વિશે પોતાની એક અલગ માન્યતા છે, તે LAC વિશે 1959 અ પોતાના સ્ટેન્ડ ને જ માને છે અને આ વાત પર ભારતે ચીન ને ફટકાર લગાવી છે.
વિદેશ મંત્રાલય ના પ્રવકટ અનુરાગ શ્રીવાસ્તવ એ મીડિયાના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે "ભારતના LAC ના સ્ટેન્ડ વિશે ચીન સારી રીતે જાણે છે. "
આની પહેલા ભારતીય વાયુસેના ના અધ્યક્ષ એરચીફમાર્શલ આર કે એસ ભદૌરિયા એ કહ્યું હતું કે હાલમાં ઉત્તર સીમા પર વર્તમાન સ્થિતિ અસહજ છે, અને જ્યાં ન તો શાંતિ છે, ન તો યુદ્ધ ની સ્થિતિ છે. સાથે જ તેમણે કહ્યું હતું કે વાયુસેના એ આ સ્થિતિ ઉપર ત્વરિત પ્રતિક્રિયા આપી છે અને કોઈ પણ દુ:સાહસ નો જવાબ આપવા માટે પરિપૂર્ણ રીતે દ્રઢ સંકલ્પિત છે.
"ભારતીય સેના સંપૂર્ણ પણે સક્ષમ છે": વાયુસેના ચીફ
તેમણે વધુ માં કહ્યુ હતું કે અમારી ઉત્તરી સીમા પર કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ પામે , અમારી સેનાઓ કોઈ પણ પડકારનો સામનો કરવામાટે પૂર્ણ રીતે સક્ષમ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચીનના વિદેશ મંત્રાલય ના પ્રવક્તા વાંગ વેનબિન નું નિવેદન આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે ભારત એ લદ્દાખ ની સ્થાપના ગેરકાયદાકીય રીતે કરી છે અને અમે તેને ભારત નું કેન્દ્રશાસિત પ્રદેશ માનતા નથી. તેમ જ ભારત તેના સૈન્ય ઉદ્દેશ્યોની પૂરતી માટે જે રીતે લદ્દાખ નો ઉપયોગ કરી રહ્યું છે તેનો પણ વિરોધ કરીએ છીએ.
ભારતે 31 ઓક્ટોબર ૨૦૧૯માં લદ્દાખ ને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે માન્યતા આપી હતી, જે બાદ ચીન છંછેડાયેલું છે. એટલે જ તેણે પૂર્વી લદ્દાખ સરહદ નો મોરચો ખોલ્યો છે. જો કે ભારત પણ તેને જવાબ આપવા માટે પૂર્ણ સક્ષમ છે.