ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને ભારત હરકતમાં આવ્યું છે. ચીનમાં અટવાયેલા ભારતીયોને સુરક્ષિત ભારત લાવવામાં આવશે તેવો ભારતે નિર્ણય લીધો છે. ભારતે વુહાન શહેરમાંથી 250 ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની તૈયારીઓ શરૂ કરી છે. ભારત ફક્ત ચીનની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. ચીનની મંજૂરી મળતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓને ભારત લાવવામાં આવશે.
કોરોના વાયરસથી પ્રભાવિત છે ચીન
ભારતે વુહાનમાં ફસાયેલા 250 વિદ્યાર્થીઓને પરત લાવવાની તૈયારીઓ શરૂ
ચીનની મંજૂરી મળવાની જોવાઈ રહી છે રાહ
ચીનમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. જેના કારણે મૃતકોનો આંક 81ને પાર પહોંચ્યો છે. સ્થિતિને ગંભીરતાથી લેતા WHOના ચીફ ટેડ્રોસ અધૈનોમ ગેબ્રેયસ ચીન પહોંચ્યા અને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. ભારત સરકારે પણ વુહાનમાં ફસાયેલા 250 વિદ્યાર્થીઓને પરત લાવવાનો નિર્ણય કર્યો છે. આ માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચીનની મંજૂરીની રાહ જોવામાં આવી છે. આ માટે ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે.
ભારતીયોને પરત આવવા દેવા માટે ચીનને ભલામણ કરશે ભારત
પેઇચિંગમાં ભારતીય દુતાવાસે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 'બેઠકોમાં, ચાઇનીઝ અધિકારીઓએ કોરોના વાયરસના ચેપના પ્રભાવોને અવરોધિત કરવા માટે તેના દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. વુહાન / હુબેઇ પ્રાંતથી વિદેશી નાગરિકોને બહાર નીકળવાના વિવિધ વિકલ્પો પર પણ ચર્ચા કરે છે. ભારતીય દુતાવાસએ કહ્યું, 'અમે હુબેઇ પ્રાંતમાં ભારતીય નાગરિકોને સારી રીતે બહાર લાવીશું. તે માટે ચીનના અધિકારીઓની સાથેની વાતચીત ચાલુ છે. ચાઇનીઝ અધિકારીઓ તરફથી અમને કોઈ સૂચના આપવામાં આવશે તો અમે તેની જાણકારી આપીશું.
આ છે હેલ્પલાઈન નંબર
હુબેઈમાં વિદેશી બાબતો માટે કાર્યાલયે 2 હેલ્પલાઈન નંબર 027-87122256 અને 027- 87811173 શરૂ કર્યા છે. જેની પર તમે પ્રાંતીય અધિકારીઓને સંપર્ક કરી શકો છો. આ સિવાય આપાત સ્થિતિ માટે દૂતાવાસે ત્રણ હોટલાઈન પણ રાખી છે. જેના નંબર છે +8618610952903, +8618612083629, +8618612083617. આ સિવાય તમે [email protected] પર મેલ કરીને પણ દૂતાવાસનો સંપર્ક કરી શકો છો.
ભારતમાં દેખરેખ હેઠળ છે 450 લોકો, કોઈને પણ કોરોના વાયરસની અસર નહીં
ભારતમાં લગભગ 450 લોકોના કોરોના વાયરસથી સંક્રમિત હોવાના ડરના કારણે દેખરેખમાં રાખવામાં આવ્યા છે. પરંતુ હાલ સુધીમાં કોઈને પણ સંક્રમણની અસર જોવા મળી નથી. વાયરસને કારણે ચીનથી આવનારા લોકો પોતે પણ મેડિકલ ઓથોરિટી પાસે પહોંચી રહ્યા છે અને પોતાનું ચેકઅપ કરાવી રહ્યા છે.
એરલાઈન્સને અપાયા આ આદેશ, ફ્લાઈટમાં રાખવામાં આવી રહી છે સાવધાની
ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચીનથી આવનારા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે નેપાળની પાસે આવેલા વિસ્તારોમાં પણ સતર્કતા રાખવામાં આવી રહી છે. ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં હેલ્થકેર એક્સપર્ટને રાખવામાં આવ્યા છે. ચીનથી ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ કનેક્ટિવિટીની દરેક ફ્લાઈટમાં જો કોઈ બીમાર થાય તો તરત જ તેની જાણકારી આપવામાં આવે છે.
કેરળ અને ગુજરાતના સીએમએ વુહાનથી ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે કહ્યું
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કેન્દ્રને વુહાનમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા બોલાવવાનો અનુરોધ કર્યો છે. વુહાન સિવાય પણ 11 અન્ય શહેર તેનાથી પ્રભાવિત હોવાથી સીલ કરાયા છે. જેથી વાયરસ ફેલાય નહીં. ચીનમાં હાલ સુધી 2744 કેસ નોંધાયા છે. 81 લોકના મોત નીપજ્યા છે.