કોરોના વાયરસ / વાયુસેનાનું વિમાન ચીનના વુહાન જશે, 100 ભારતીયોને કરાશે એરલિફ્ટ

India to send aircraft to novel coronavirushit Wuhan today

કોરોના વાયરસના કારણે ચીનમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસને લઇને અત્યાર સુધીમાં 2663 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 77,000 થી વધારે લોકો અત્યાર સુધીમાં સંક્રમિત થયા છે. આ વચ્ચે ચીનના વુહાન શહેરમાં ફસાયેલા  ભારતીયનો પરત લાવવા માટે આજે વાયુસેનાનું સ્પેશિયલ વિમાન C-17 ગ્લોબમાસ્ટર વુહાન જશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારતીય એમ્બેસીના હવાલેથી જણાવામાં આવ્યું છે કે વુહાનમાં જે ભારતીયોએ આવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમને ભારત લાવવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ