કોરોના વાયરસના કારણે ચીનમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ચીનમાં કોરોના વાયરસને લઇને અત્યાર સુધીમાં 2663 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 77,000 થી વધારે લોકો અત્યાર સુધીમાં સંક્રમિત થયા છે. આ વચ્ચે ચીનના વુહાન શહેરમાં ફસાયેલા ભારતીયનો પરત લાવવા માટે આજે વાયુસેનાનું સ્પેશિયલ વિમાન C-17 ગ્લોબમાસ્ટર વુહાન જશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારતીય એમ્બેસીના હવાલેથી જણાવામાં આવ્યું છે કે વુહાનમાં જે ભારતીયોએ આવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમને ભારત લાવવામાં આવશે.
ચીનમાં કોરોનાથી 77 હજારથી વધારે લોકો સંક્રમિત
વાયુ સેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન વુહાન જશે
થોડા દિવસ બાદ ચીનને એરલિફ્ટ કરવાની આપી મંજૂરી
ઘણા દિવસો સુદી ચીન પાસેથી ન મળી મંજૂરી
ચીનના વુહાનમાં હજુ પણ અંદાજે 100 ભારતીયો ફસાયલા છે. ભારતે પાડોશી દેશના ફસાયેલા લોકોને પણ લાવવાની ઇચ્છા દર્શાવી છે. એમ્બેસીના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે સ્પેશિયલવિમાન આજે વુહાન લેંડ કરશે, જેને લઇને મંજૂરી મળી ગઇ છે.
આ અગાઉ ભારતીય અધિકારીઓએ કહ્યું હતું કે વિમાનને વુહાન જવા માટે ચીન દ્વારા મંજૂરી આપવામાં આવી રહી નથી. વુહાન મોકલનારા સ્પેશ્યિલ વિમાનથી ચીનમાં કોરોનાથી સંક્રમિત લોકો માટે મેડિકલ ગ્લોઝ, મેડિકલ ગાઉન જેવી રાહત સામગ્રી પણ મોકલવામાં આવશે.
વુહાનમાં ફસાયેલા જે ભારતીયોએ ભારત આવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તેમને જણાવામાં આવ્યું છે કે તેઓ આજના સ્પેશિયલ વિમાનથી આવવા તૈયાર રહે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી વુહાનમાં ફસાયેલાં કેટલાંક ભારતીયઓએ પરત આવવા મદદ માગી હતી.
તેઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. ચીનનો વુહાન વિસ્તાર કોરોના વાયરસનું કેન્દ્ર બન્યું છે અને કોરોનાની શરૂઆત અહીથી થઇ હતી, જે હવે દુનિયાના ઘણા દેશમાં ફેલાઇ ચુકી છે.