ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે આ અંગેની જાહેરાત હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે 2020માં વરસાદ 9 ટકા ઓછો રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું માનીએ તો હાલ દેશમાં ન્યૂટ્રલ અલ-નીનોની સ્થિતિ છે. આ વર્ષે અલ-નીનો ન્યૂટ્રલ રહેવાનું અનુમાન છે. IMDનું કહેવું છે કે 1 જૂને કેરળમાં ચોમાસું દસ્તક દેશે. 11 જૂને ચોમાસું મુંબઈ પહોંચશે. જ્યારે ચેન્નઈમાં 4 જૂન અને દિલ્લીમાં 27 જૂને ચોમાસું પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે.
2020માં વરસાદમાં 9 ટકાનો ઘટાડો થવાની સંભાવના
જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના
આ વર્ષે દેશમાં અલ-નીનો ન્યૂટ્રલ રહેવાની સંભાવના
હવામાન વિભાગે આ વર્ષે વરસાદને લઇને અનુમાન કરતાં જણાવ્યું છે કે આ વર્ષ દેશમાં સામાન્ય વરસદ રહેશે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સચિવ માધવને આ અંગેની જણાકીર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી હતી.
હવામાન વિભાગે વરસાદને લઇને અનુમાન જારી કરી દીધુ છે. ભારતીય હવામાન વિભાગે અનુમાન આપતા જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશે. ચાર મહિનાનું દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આમ તો 1 લી જૂનથી શરૂ થાય છે. આ કૃષિ અર્થવ્યવસ્થાને લઇને ઘણુ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશમાં થનારા વરસાદનું અનુમાન 75 ટકા આ ચોમાસાથી થાય છે.
ઉલ્લેખનીય ગત વર્ષે 15 એપ્રિલના રોજ 2019ના ચોમાસાની આગાહી કરી હતી. હવામાન વિભાગે 96 ટકા ચોમાસાના વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. જેમાં 5 ટકા માર્જિન પણ રાખવામાં આ્યું છે. 4 મહિનાના ચોમાસાની સીઝનમાં 887 મીમી વરસાદ થાય છે, પરંતુ ગત વર્ષે આટલો વરસાદ થયો નહોતો.
ચોમાસાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. જેમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુ રહેશે. દેશમાં દક્ષિણ-પશ્ચિમમાં સામાન્ય વરસાદ રહેવાની શકયતા છે. 2020માં ચોમાસામાં માત્ર 9 ટકા ઓછો રહેવાની સંભાવના છે. આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની આશા છે. IMD કહ્યું જૂન-સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદની આશા છે.