કોરોના વાયરસને લઈને ભારત સતર્ક બન્યું છે. જો કે કેરળમાં 3 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જો કે હવે તેઓ સ્વસ્થ છે. ભારત કોરોના વાયરસની ઝપેટમાં ન આવવા માટે અનેક પ્રયાસ કરી ચૂક્યું છે. આ પગલે હવે ફરી એક વાર ઈરાની નાગરિકોના વિઝાને પણ કેન્સલ કર્યા છે. એટલે કે હવે જે ઈરાની નાગરિકો ભારત આવવા ઈચ્છે છે તેમના વિઝા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જળ અને વાયુ સીમાઓ પણ સીલ કરી દેવાઈ છે જેથી કોરોનાને ભારતમાં ફેલાતો અટકાવી શકાય.
ઈરાની નાગરિકોના ભારતીય વિઝા થયા કેન્સલ
ઈરાન કોરોના વાયરસથી પ્રભાવિત એવો બીજો મોટો દેશ
ચીનમાં વધુ 35 લોકોના થયા મોત
હાલ સુધી આ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે કોરોનાનો કહેર
ચીન બાદ વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 2 હજાર 977 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો વિશ્વમાં 86 હજાર 611 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
ક્યાં કેટલા લોકોનો લેવાયો ભોગ
ચીનમાં કોરોના વાયરસથી વધુ 35 લોકોના મોત નીપજ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં કુલ 2 હજાર 870 લોકોના મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ વધુ એક વ્યક્તિનુ મોત થયું છે. આ સાથે દક્ષિણ કોરિયામાં અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મોત થયા છે. ઈટલીમાં કોરોના વાયરસથી વધુ 8 લોકોની સાથે મૃત્યુ આંક 29નો થયો છે. ઈરાનમાં કોરોના વાયરસથી વધુ 9 લોકોના મોત થતાં કુલ મોતની સંખ્યા 43ને પાર પહોંચી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાયરસના કારણે 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.