તુર્કી જો હવે નહીં માને તો શક્યતા છે કે તેની વિરુદ્ધ પણ મલેશિયા જેવા પગલા ઉઠાવી શકાય એમ છે. ભારતે ત્રણ દિવસમાં બીજી વખત કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને સાથે આપનાર તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆનની નિંદા કરી છે.
ભારતે ત્રણ દિવસમાં બીજી વખત તુર્કીના રાષ્ટ્રપતિની નિંદા કરી
ભારતે તુર્કી સામે મલેશિયા જેવા પગલા ઉઠાવે તેવી શક્યતા
તુર્કીના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દે આપ્યું હતું નિવેદન
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અર્દોઆન ન માત્ર ભારતના આંતરિક મામલામાં દખલ આપી રહ્યાં છે, આ સાથે જ સરહદની પારથી આંતકવાદને ઇસ્લામાબાદથી મળી રહેલા સમર્થનનો બચાવ કરી રહ્યાં છે.
ભારતમાં તૂર્કીના રાજદ્વારી એસ. અકીર તોરૂનલરને સરકારે કડક શબ્દોમાં જણાવ્યું છે કે તુર્કીની આ વલણથી ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો પર તેની અસર પડી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે કાશ્મીર પર અર્દોઆનનું નિવેદન દર્શાવે છે કે ના તેમને કોઇ ઇતિહાસની સમજ છે અને ના કોઇ રાજકીટ કૂટનિતી ખબર છે. તુર્કીના રાષ્ટ્રપતિનું તાજેતરનું નિવેદન નેરો માઇન્ડને આગળ વધારવા ભૂતકાળની ઘટનાઓને છેડછાડ કરનારું છે.
સરકાર દ્વારા જણાવામાં આવ્યું છે કે કાશ્મીર પર તુર્કીનું નિવેદન આ વાતનો વધુ એક પુરાવો છે કે તુર્કી કેવી રીતે બીજા દેશના આંતરિક મામલામાં દખલ કરે છે. રવીશ કુમારે કહ્યું કે ભારત માટે આ બર્દાસ્તની બહાર છે. અમે ખાસ કરીને પાકિસ્તાનની સરહદપાર આતંકવાદને તુર્કી તરફથી વારંવાર બચાવ કરવા પર ખેદ વ્યક્ત કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે તુર્કીના રાષ્ટ્રપતિએ ગત દિવસોમાં પાકિસ્તાનમાં હતા. જ્યાં 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની સંસદને સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે તેમનો દેશ આ મામલે પાકિસ્તાનના વલણને સમર્થન આપે છે.