ભારતે પરમાણુ હુમલો કરવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રવિવારે આંધ્ર પ્રદેશના કિનારાથી 3500 કિલોમીટરની મારક ક્ષમતા વાળી k-4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.
K-4 બેલેસ્ટિક મિસાઇલનું આંધ્ર પ્રદેશમાં પરીક્ષણ
પરમાણુ-સંચાલિત સબમરીન પર કરવામાં આવશે તહેનાત
આ સબમરીન મિસાઇલને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને તૈયાર કરી
આ સબમરીન મિસાઇલને રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ તૈયાર કરી છે. આ મિસાઇલને ભારતીય નેવીના સ્વદેશી આઇએનએસ અરિહંત-શ્રેણીના પરમાણુ સંચાલિત સબમરીન પર તહેનાત કરવામાં આવશે.
આ મિસાઇલ જમીનથી હવામાં સચોટ નિશાન ભેદવામાં સક્ષમ છે. QRSAM સિસ્ટમ હેઠળ કોઇ સૈન્ય અભિયાન હેઠળ મિસાઇલ પણ ગતિશીલ રહે છે અને દુશ્મનના વિમાન અથવા ડ્રોન પર નજર રાખતા તેને તાત્કાલિક નિશાન બનાવે છે.
Govt sources:India today successfully test-fired 3,500 km strike range nuclear capable submarine-launched K-4 ballistic missile off coast of Andhra Pradesh. The missile under development by DRDO will be equipped on indigenous INS Arihant-class nuclear-powered submarines of Navy. pic.twitter.com/qOcblC269Z
આ પ્રકારે પિનાકા મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. અર્ટિલરી મિસાઇલ સિસ્ટમ 'પિનાકા'થી 75 કિલોમીટરની દૂરી સુધી સટીક નિશાન લગાવાઇ શકાય છે. પિનાકા MK-II રોકેટને નેવિગેશન, કંટ્રોલ અને ગાઇડેન્સ સિસ્ટમથી જોડીને મિસાઇલ તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. તેના કારણે રેંજ વધવાની સાથે લક્ષ્યને ભેદવાની ક્ષમતા વધુ સારી બની ગઇ છે.