બાલેશ્વરઃ સ્વદેશી ટેક્નિકથી નિર્મિત પરમાણુ ક્ષમતાથી સજ્જ 5000 કિ.મી સુધીની મારણ ક્ષમતાવાળી અન્તરમહાદ્રિપીય બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સોમવારનાં રોજ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા વિકસિત આ મિસાઇલનું ઓડિશાનાં અબ્દુલ કલામ દ્રીપથી બપોર બાદ એક કલાકને 30 મિનીટ પર પરીક્ષણ કરવામાં આવ્યું. આનાં વિકસિત થવાંથી ભારત દુનિયાનો પાંચમો દેશ બની ગયો છે.
ત્રણ ચરણમાં ઠોસ એન્જીથી ચાલવાવાળી અગ્નિ-5 મિસાઇલને અબ્દુલ કલામ દ્રીપ (વ્હીલર દ્રીપ) સ્થિત સમેકિત પરીક્ષણ ક્ષેત્રનાં પરિસર ચારથી હવામાં છોડવામાં આવી. આ મિસાઇલ એક ટનથી પણ વધારે જેકેટ ધરાવતી હોઇ શકે છે અને આ એક સાથે અનેક ક્ષેત્રોમાં પ્રહાર કરી શકે છે.
આ મિસાઇલને સામરિક બળ કમાન અને ડીઆરડીઓએ સૌથી ઉન્નત પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરીને સંયુક્ત રૂપથી વિકસિત કરવામાં આવેલ છે. આનું પહેલું નિરીક્ષણ 19 એપ્રિલ 2012નાં રોજ કરવામાં આવ્યું હતું.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ મિસાઇલનું સાતમું સફળ પરીક્ષણ છે. આ પહેલાં પણ આનું છઠ્ઠું પરીક્ષણ ત્રીજી જૂન 2018નાં રોજ કરવામાં આવ્યું હતું. અગ્નિ સીરીઝની મિસાઇલોમાં અગ્નિ-5 સૌથી ઉન્નત વર્ઝન છે કે જેમાં અનેક એવી નવી ટેક્નિકોનો ઉપયોગ કરવામાં આવેલ છે.
દેશમાં 700 કિ.મી સુધીની મારક ક્ષમતાવાળી અગ્નિ-1 લગભગ 2000 કિ.મી સુધીની પ્રહાર ક્ષમતાવાળી અગ્નિ-2 અને અંદાજે 3000 કિ.મી સુધીની મારણક્ષમતાવાળી અગ્નિ-3 અને અગ્નિ-4 મિસાઇલો પહેલેથી જ છે.