ભારતે મધ્યમ દુરીની જમીનથી હવામાં માર કરનારી મિસાલઇલ MRSAM મિસાઇલનું બુધવારના રોજ સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ 70 કિલોમીટરના અંતરમાં આવનારી કોઇપણ મિસાઇલ, લડાકુ વિમાન, હેલીકોપ્ટર, ડ્રોન, સર્વેલન્સ વિમાનોને તોડી પાડવામાં સૂપંર્ણ રીતે સક્ષમ છે. આશ્ચર્યની વાત તો એ છે કે DRDOએ આ ઇઝરાયલ એરોસ્પેસ ઇંડસ્ટ્રીઝની સાથે મળીને મિસાઇલ વિકસિત કરી છે.
ઉલ્લેખનીય છે કે બુધવારના દિવસે 3.52 કલાકે ઓડીસાના ચાંદીપુરના LAC-3થી આ મિસાલઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું. જેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ હવામાં એક સાથે આવનારા ઘણા બાધ ટાર્ગેટ અથવા દુશ્મનો પર 360 ડિગ્રી ફરી એક સાથે હુમલો કરી શકે છે. આ માત્ર આંખના પલકાર વચ્ચે પોતાના ટાર્ગેટને નષ્ટ કરી શકે છે.
આ મિસાઇલના પરીક્ષણ દરમિયાન એક માનવરહિત વાયુ વાહન, બંશીને પહેલા હવામાં ઉડાડવામાં આવ્યું હતું, જેમાં MRSAMએ ટક્કર મારી. MRSAMનું નિર્માણ ભારત ડાયનેમિક્સ લિમિટેડે કર્યું છે. એવુ જાણકારી મળી છે કે ભારતીય સેનામાં સામેલ થયા પછી આ મિસાઇલ રક્ષા દળની લડાકૂ પ્રભાવશીલતાને મજબૂત કરશે.
એક રિપોર્ટ મુજબ પ્રક્ષેપણથી લઇને દરિયામાં ડુબવા સુધી સંપૂર્ણ મિશન દરમિયાન અલગ રડાર અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકો ઉપકરણની દેખરેખ કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે પરીક્ષણથી પહેલા બાલાસોર જિલ્લા તંત્રએ DRDO સાથે વાતચીત કરી અસ્થાયી રીતે અંદાજે 8000 લોકોને બુધવારે સવારે જ નજીકના શેલ્ટર સેન્ટરમાં લોન્ચ પેડના 2.5 કિમીની આસપાસના વિસ્તારમાં કરી દીધા હતા.
ભારતે બુધવારના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતે જમીનથી હવામાં મારનાર મધ્યમ રેંજની શક્તિશાળી મિસાઇલ (MRSM)નું સફળ પરીક્ષણ કર્યું છે. ઘણી બધી વિશિષ્ટતાથી ભરપુર આ મિસાઇલ 70 કિલોમીટરના અંતરમાં આવનાર કોઇપણ મિસાઇલ, લડાકુ વિમાન, હેલિકોપ્ટર અને હવાઇ શત્રુઓને મારવામાં સક્ષમ છે.
પરીક્ષણ માટે 8 ગામ ખાલી કરાવામાં આવ્યાં હતા
મિસાઇલની શક્તિની ક્ષમતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તેના પરીક્ષણ માટે તંત્રએ ચાંદીપુરના પરીક્ષણ કેન્દ્રની નજીકમાં આવેલ ચાર પંચાયતના આઠ ગામના 10,000 લોકોને અસ્થાયી શિબિરમાં મોકલી દેવામાં આવ્યાં.
આ મિસાઇલને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ડીઆરડીએલ હૈદરાબાદ અને ડીઆરડીઓના સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી છે. ભારત ડાયનામિક્સ લિમિટેડમાં MRSAMનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભારત દ્વારા પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે બુધવારે મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ અવસર પર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે સફળ પરીક્ષણને લઇને DRDOની ટીમને શુભેચ્છા પાઠવી.