ICMRએ શનિવારે કહ્યું કે બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનને ભારતે સફળતા પૂર્વક આઈસોલેટ અને કલ્ચર કર્યો છે. કસ્ચર એક એવી પ્રક્રિયા છે જેના આધારે કોશિકાઓને નિયંત્રિત પરિસ્થિતિમાં ઉગાડી શકાય છે અને સામાન્ય રીતે તેને પ્રાકૃતિક વાતાવરણની બહાર આવું કરાય છે.
ભારતને મળી મોટી સફળતા
કોરોનાના નવા વાયરસ સ્ટ્રેનને કરી શકે છે અલગ
ભારત આ કામ કરનારો પહેલો દેશ બન્યો
ICMRએ એક ટ્વિટમાં દાવો કર્યો છે કે કોઈ પણ દેશના બ્રિટનમાં આવેલા સાર્સ-કોવી-2ના નવા પ્રકારને અત્યાર સુધી સફળતાપૂર્વક અલગ કે કલ્ચર કર્યા નથી. ICMRએ કહ્યું કે વાયરસના બ્રિટનમાં સામે આવેલા પ્રકારના દરેક સ્વરૂપની સાથે રાષ્ટ્રિય વિષાણુ વિજ્ઞાન સંસ્થાનમાં હવે સફળતા પૂર્વક અલગ અને કલ્ચર કરાયા છે. આ માટે નમૂના બ્રિટનથી આવેલા લોકો પાસેથી લેવાયા હતા.
બ્રિટને હાલમાં જ જાહેરાત કરી હતી કે અહીના લોકોમાં વાયરસનો એક નવો પ્રકાર જોવા મળ્યો છે. જે કોરોનાના વાયરસ કરતાં પણ 70 ટકા વધારે ખતરનાક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે સાર્સ- કોવી-2 ના આ નવા સ્ટ્રેનથી ભારતમાં અત્યાર સુધીમાં કુલ 29 લોકો સંક્રમિત થઈ ચૂકયા છે. શનિવારે પ
ભારતમાં કોરોના વાયરસના ખતરનાક સ્ટ્રેનના પગપેસારાને લઈને પણ સરકારનું ટેન્શન વધી રહ્યું છે. આ વાયરસ બ્રિટનથી આવ્યો હોવાના કારણે અહીંથી આવતી ફ્લાઈટ્સને લઈને પણ અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. સાથે જ અહીંથી આવી રહેલા યાત્રીઓનું એરપોર્ટ પર જ સેમ્પલિંગ કરાઈ રહ્યું છે. આ સિવાય જો કોઈ દર્દી શંકાસ્પદ પણ જણાય તો તેને તરત જ ક્વોરન્ટાઈન કરવાની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. ભારચતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના શનિવારે વધુ 4 દર્દીઓ મળતાં ખળભળાટ મચ્યો છે. આ દર્દીની કુલ સંખ્યા ભારતમાં 30થી વધારે પહોંચી છે.