ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનનો સમાવેશ મની લોન્ડરિંગ એક્ટમાં કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે.
ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શનનો સમાવેશ મની લોન્ડરિંગ એક્ટમાં થયો
ડિઝિટલ ટ્રાન્ઝેક્શન પણ સામેલ
ક્રિપ્ટોકરન્સી ગુનાઓની મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ થશે
નાણા મંત્રાલયે કર્યું એલાન
દેશમાં ક્રિપ્ટોકરન્સી અને ડિઝિટલ લેવડદેવડ વધી રહી છે અને સ્વાભાવિક છે કે તેની સાથે ઘણું બધું ખોટું પણ થશે જ અને તેથી ક્રિપ્ટો ઉદ્યોગ પર નજર રાખવા માટે કેન્દ્ર સરકારે એક કડક પગલું ભર્યું છે.
ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો મની લોન્ડરિંગની જોગવાઈઓના દાયરામાં આવશે
નાણાં મંત્રાલયે આજે જાહેરાત કરી હતી કે ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો હવે મની લોન્ડરિંગની જોગવાઈઓના દાયરામાં આવશે. સરકારે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સાથે સંકળાયેલા વ્યવહારોમાં ભાગીદારી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ હશે. આ પગલું ડિજિટલ સંપત્તિના નિરીક્ષણને કડક બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલું નવીનતમ પગલું છે.
All crypto businesses in the country would come under ambit of PMLA
This is a good step towards regulating the crypto industry in India
This also ensures all crypto businesses must perform necessary KYC, transaction monitoring etc as part of their process.
— Nischal (Shardeum) ⚡️ (@NischalShetty) March 8, 2023
સરકારી ગેઝેટ જાહેર કરીને જણાવાયું
સરકારી ગેઝેટમાં મંત્રાલયે રોકાણકારોને "વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના ઇશ્યૂઅરની ઓફર અને વેચાણથી સંબંધિત નાણાકીય સેવાઓમાં ભાગીદારી અને જોગવાઈ" સામે ચેતવણી આપી હતી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સનું એક્સચેન્જ અને ટ્રાન્સફર પણ પીએમએલએ કાયદા હેઠળ આવશે.
શું છે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ
આવકવેરા કાયદા અનુસાર, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ એ કોઈ પણ માહિતી, કોડ, નંબર અથવા ટોકન (ભારતીય ચલણ અથવા વિદેશી ચલણ ન હોવાનો) સંદર્ભિત કરે છે, જે ક્રિપ્ટોગ્રાફિક માધ્યમો દ્વારા અથવા અન્યથા જનરેટ કરવામાં આવે છે અને તેને કોઈપણ નામથી બોલાવી શકાય છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, જેને મની લોન્ડરિંગ અને ફોરેક્સ ઉલ્લંઘનના કેસોની તપાસ કરવાનો આદેશ છે, તે પહેલેથી ક્રિપ્ટો કંપનીઓની તપાસ કરી રહ્યું છે.