સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ચીને જમ્મુ-કશ્મીર અને લદ્દાખનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. નિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, અમે બીજા દેશોથી આશા રાખીએ છીએ કે, તેઓ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરશે.
જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતે ચીનને આપ્યો જવાબ
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ ભારતનો અભિન્ન હિસ્સો
ચીનના વિદેશ મંત્રીએ આપ્યું નિવેદન
આશા છે કે ચીન POKમાં ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરના ગેરકાયદે નિર્માણને સંપૂર્ણ રીતે રોકવાની દિશામાં કામ કરશે. ચીનના વિદેશ મંત્રી વાંગ ઈએ યૂએનમાં કહ્યું કે, કશ્મીર એક વિવાદીત મુદ્દો છે અને તેનું સમાધાન શાંતિપૂર્વક, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના નિયમો, સુરક્ષા પરિષદના સંકલ્પો અને દ્વીપક્ષીય કરારો અંતર્ગત થવું જોઇએ.
એકપક્ષીય રીતે કરવામાં આવેલી કોઇ પણ કાર્યવાહી યથાસ્થિતિને બદલી ન શકે. આશા છે કે પડોશી દેશ ભારત અને પાકિસ્તાન પ્રભાવીરૂપથી આ વિવાદને ખતમ કરશે અને તેમના સંબંધોમાં સ્થિરતા આવશે.
ચીની પક્ષ જમ્મુ કશ્મીરને લઇને ભારતની સ્થિતિથી અવગત છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને તાજેતરમાં જ જે ઘટનાક્રમ થયો છે તે દેશનો આંતરિક મામલો છે. આમ ભારતે ચીનને જવાબ આપી દીધો હતો.