કોરોના વાયરસનો કહેર સતત ચાલી રહ્યો છે ત્યારે ચીનથી આયાત થતી વસ્તુઓનો વેપાર હવે પ્રભાવિત થઈ ચૂક્યો છે. ચીનથી આયાત થઈ રહેલી વસ્તુઓ માટે ભારત વૈકલ્પિક સ્ત્રોત શોધી રહ્યું છે. સરકારે તેના માટે દુનિયાભરમાં પોતાના મિશનને સંભાવિત આપૂર્તિઓને શોધવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં 1000થી વધારે વસ્તુઓ માટે ભારત વૈકલ્પિક સ્ત્રોત શોધી રહ્યું છે.
કોરોના વાયરસથી ચીન-ભારત વચ્ચેનો વેપાર ખોરવાયો
ભારતની 50% આયાત તો એક માત્ર ચીનમાંથી થતી હતી
હવે અન્ય દેશોમાંથી વસ્તુ આયાત કરાશે
કોરોના વાયરસથી ભારત-ચીન વ્યાપાર ખોરવાયો છે. આ કારણે ચીનથી મંગાવાતી વસ્તુ માટે ભારત વિકલ્પ શોધશે. ભારત અન્ય દેશોમાંથી વસ્તુઓ મંગાવશે, જેમાં 1 હજાર જેટલી વસ્તુઓ અન્ય દેશોમાંથી અયાત કરવાની વિચારણા રાખવામાં આવી રહી છે. કપડા, સૂટકેસ, એંટી બાયોટિક્સની અન્ય દેશોમાંથી આયાત કરવાની વિચારણા ચાલી રહી છે. આ તમામ વસ્તુઓ સહિત ઈલેક્ટ્રોનિક્સ જેવી 1 હજાર વસ્તુઓ ચીનથી મંગાવાતી હતી. ભારતની 50% આયાત તો એક માત્ર ચીનમાંથી કરવામાં આવી રહી છે.
આ છે ભારત માટે મોટી મુશ્કેલી
આ સિવાય અન્ય મોટી મુશ્કેલી એ છે કે ભારતની જેમ જ તમામ અન્ય દેશ પણ ચીનથી આયાત બંધ થવાના કારણે પ્રભાવિત બન્યા છે. તેઓ પણ આ જ ચીજો માટે વૈકલ્પિક સ્ત્રોત શોધી રહ્યા છે. અને તેને મેળવવાની કોશિશ કરી રહ્યા છે જેની પર ભારત વિચાર કરી રહ્યું છે. આયાતના વૈકલ્પિક સ્ત્રોત પર વિચારણા કરવાની સાથે સાથે સ્થાનિક પ્રોડક્શનને પણ વેગ આપવાની સંભાવના શોધવામાં આવી રહી છે.