લસિથ મલિંગાના નેતૃત્વમાં શ્રીલંકાની ટીમ ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીનો પ્રથમ મુકાબલો રમવા માટે ગઈ કાલે ગોહાટી પહોંચી ગઈ. નાગરિકતા બિલ (સીએએ)ના વિરોધમાં થઈ રહેલાં નાનાં-મોટાં વિરોધ પ્રદર્શનના કારણે શહેરમાં ટીમની સુરક્ષા વધારી દેવાઈ છે. શ્રીલંકાની ટીમને ગઈ કાલે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એરપોર્ટથી હોટલ લઈ જવામાં આવી હતી. રવિવારે શ્રેણીનો પ્રથમ મુકાબલો રમવા માટે ભારતીય ટીમના ખેલાડીઓ અલગ અલગ રીતે આજે ગોહાટી પહોંચવાના છે. આજે સાંજે ટીમનું વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન રાખવામાં આવ્યું છે.
કોની થશે ટીમમાં રિ-એન્ટ્રી
કયા પ્લયેર પર રેહશે સૌની નજર
કેમ આટલી સુરક્ષા વધારાઈ
લસિથ મલિંગાના નેતૃત્વમાં શ્રીલંકાની ટીમ ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીનો પ્રથમ મુકાબલો રમવા માટે ગઈ કાલે ગોહાટી પહોંચી ગઈ. નાગરિકતા બિલ (સીએએ)ના વિરોધમાં થઈ રહેલાં નાનાં-મોટાં વિરોધ પ્રદર્શનના કારણે શહેરમાં ટીમની સુરક્ષા વધારી દેવાઈ છે. શ્રીલંકાની ટીમને ગઈ કાલે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એરપોર્ટથી હોટલ લઈ જવામાં આવી હતી. રવિવારે શ્રેણીનો પ્રથમ મુકાબલો રમવા માટે ભારતીય ટીમના ખેલાડીઓ અલગ અલગ રીતે આજે ગોહાટી પહોંચવાના છે. આજે સાંજે ટીમનું વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન રાખવામાં આવ્યું છે.
ગત મહિને સીએએના વિરોધમાં આસામમાં જોરદાર વિરોધ પ્રદર્શન થયાં હતાં, જેના કારણે અહીં રણજી અને અંડર-૧૯ મેચ રદ કરી દેવામાં આવી હતી. આસામ ક્રિકેટ એસોસિયેશનના સચિવ દેવાજિત સાઇકિયાએ જણાવ્યું, ''હવે અહીં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને રાજ્યમાં પ્રવાસીઓ પણ આવવા માંડ્યા છે. ૧૦ જાન્યુઆરીથી અહીં ખેલો ઇન્ડિયાની પણ શરૂઆત થઈ રહી છે. અહીં લગભગ ૭૦૦૦ ખેલાડી પહોંચી રહ્યા છે. ગોહાટી હાલ સુરક્ષિત છે. ૩૯,૫૦૦ દર્શકોની ક્ષમતાવાળા બારાસપારા સ્ટેડિયમની ૨૭,૦૦૦ ટિકિટ અત્યાર સુધીમાં વેચાઈ ચૂકી છે.''
શ્રેણીની બીજી મેચ તા. ૭ જાન્યુઆરીએ ઇન્દોરમાં અને ૧૦ જાન્યુઆરીએ પુણેમાં ત્રીજી મેચ રમાશે. ટી-૨૦ વિશ્વકપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો હોવાથી બંને ટીમ આ શ્રેણીમાં પૂરતા જોશ સાથે મેદાનમાં ઊતરશે. ૨૪ ઓક્ટોબરે પર્થમાં દક્ષિણ આફ્રિકા સામે વિશ્વકપનો પ્રથમ મુકાબલો રમતાં પહેલાં ભારતીય ટીમ આઠ ટી-૨૦ મેચ રમવાની છે, જેમાંથી પાંચ મેચ ન્યૂઝીલેન્ડના પ્રવાસ દરમિયાન રમાવાની છે. શ્રીલંકાની ટીમમાં એન્જેલો મેથ્યૂસ અને ધનંજય ડી'સિલ્વાની વાપસી થઈ છે. મેથ્યૂસ ઓગસ્ટ-૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા સામે પોતાની અંતિમ ટી-૨૦ મેચ રમ્યો હતો.
ટીમ ઇન્ડિયામાં જસપ્રીત બૂમરાહની વાપસી થઈ છે, જે કમરની ઈજાના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહ્યો હતો, જ્યારે શિખર ધવન પણ ઈજા બાદ વાપસી કરશે. ભારતીય ચાહકો અને ટીમ મેનેજમેન્ટની નજર બૂમરાહ પર ટકેલી છે, કારણ કે આગામી વિશ્વકપ માટે બૂમરાહ ટીમ ઇન્ડિયા માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહંમદ શમીને શ્રીલંકાની સામેની ટી-૨૦ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.