બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ટીમ ઈન્ડીયાનું એલાન, સૂર્યકુમાર યાદવ ટી 20 કેપ્ટન, હાર્દિકનું પત્તું કપાયું, ગીલ વાઈસ કેપ્ટન
Last Updated: 07:58 PM, 18 July 2024
ઝિમ્બાબ્વેને ઘરઆંગણે હરાવ્યા બાદ ટીમ ઈન્ડીયાનુ આગામી મિશન શ્રીલંકા છે. ઈન્ડીયા હવે બે સીરિઝ રમવા શ્રીલંકા જવાની છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 3 મેચની વનડે અને 3 મેચની ટી20 સીરીઝ રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટી-20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
*Gautam Gambhir Era Begins 🔥⚔️
— Cricket Gyan (@cricketgyann) July 18, 2024
India's Squad has been announced for T20I as well as ODI series for Sri Lanka
SuryaKumar Yadav is the New T20I Captain and Rohit Sharma to lead in ODIs
.
.#T20i #ODI #INDIAvsSRILANKA #cricket #GautamGambhir #rohitsharma #ShubmanGill #indiatour… pic.twitter.com/rOOdKM4lLO
સૂર્યકુમાર યાદવ ટી 20 કેપ્ટન
ADVERTISEMENT
3 મેચોની ટી 20 સીરિઝ માટે સૂર્યકુમાર યાદવને તો 3 વનડે માટે રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. શુભમન ગિલને ટી 20 અને વનડેનો વાઈસ કેપ્ટન બનાવાયો છે. હાર્દિક પંડ્યાને બેમાંથી એક સીરિઝમાં લેવાયો નથી. શુભમન ગીલની કપ્તાની હેઠળ ભારતીય ટીમે તાજેતરમાં જ ઘરઆંગણે 5 મેચની T20 શ્રેણીમાં ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્યું હતું. આ પહેલા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ગયા મહિને એટલે કે જૂનમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પણ આ પહેલો પ્રવાસ
ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો પણ આ પહેલો પ્રવાસ હશે. તાજેતરમાં જ BCCIએ તેમને ભારતીય ટીમના નવા મુખ્ય કોચ બનાવ્યા છે. ગંભીરે રાહુલ દ્રવિડનું સ્થાન લીધું છે, જેનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થયો હતો.
27 જુલાઈથી શરૂ થશે
ભારતીય ટીમ આ પ્રવાસ 27 જુલાઈથી શરૂ કરશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. આ શ્રેણીની તમામ ODI મેચો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.
ભારત-શ્રીલંકા સીરિઝ
27 જુલાઈ – 1લી T20, પલ્લેકલે
28 જુલાઈ – બીજી T20, પલ્લેકલે
30 જુલાઈ – 3જી T20, પલ્લેકલે
2 ઓગસ્ટ – 1લી ODI, કોલંબો
4 ઓગસ્ટ – 2જી ODI, કોલંબો
7 ઓગસ્ટ – ત્રીજી ODI, કોલંબો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT