બીસીસીઆઈએ બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયામાં મોટો ફેરફાર કર્યાં છે જે અનુસાર ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા અને યશ દયાળને આરામ અપાયો છે.
બાંગ્લાદેશ પ્રવાસ માટે ટીમ ઈન્ડીયામાં બે મોટા ફેરફાર
રવિન્દ્ર જાડેજા અને યશ દયાળને આરામ આપ્યો
ઈજાને કારણે બન્ને ખેલાડીઓને ટીમમાં ન લેવાયા
કુલદીપ સેન અને ઓલરાઉન્ડર શાહબાઝ અહમદને સમાવાયા
25 નવેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સિરિઝ શરુ થઈ રહી છે તે પહેલા બીસીસીઆઈએ ટીમમાં એક મોટો ફેરફાર કરતા બે ખેલાડીઓને ઈજાને કારણે આરામ આપ્યો છે અને તેને બદલે બીજા ખેલાડીઓને ટૂંક સમયમાં ટીમમાં સામેલ કરી દેવામાં આવશે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું કે ફાસ્ટ બોલર યશ દયાલ અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઈજાને કારણે બાંગ્લાદેશ પ્રવાસમાંથી આરામ અપાયો છે.
Update: Team India (Senior Men) and India A squad for Bangladesh tour announced.
કુલદીપ સેન અને ઓલરાઉન્ડર શાહબાઝ અહમદને સમાવાયા
બીસીસીઆઇએ યશ દયાળ અને રવિન્દ્ર જાડેજાના સ્થાને ફાસ્ટ બોલર કુલદીપ સેન અને ઓલરાઉન્ડર શાહબાઝ અહમદને સામેલ કર્યા છે.
દયાળ અને જાડેજાનું શું ઈજા છે
બીસીસીઆઈએ કહ્યું છે કે યશ દયાળને પીઠના નીચેના ભાગમાં સમસ્યા છે. જ્યારે જાડેજા હજુ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણપણે સાજો થઈ શક્યો નથી. આ જ કારણ છે કે બંનેને બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર કરવામાં આવ્યા છે.
શાહબાઝ-કુલદીપને ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા
કુલદીપ સેન અને શાહબાઝ અહમદની પસંદગી ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે કરવામાં આવી હતી. પરંતુ હવે બંનેને શ્રેણીમાંથી દૂર કરવામાં આવ્યા છે, કારણ કે તેઓ બાંગ્લાદેશના પ્રવાસે જવાના છે. ન્યુઝીલેન્ડની શ્રેણી માટે કુલદીપ અને શાહબાઝનું કોઈ રિપ્લેસમેન્ટ આપવામાં આવ્યું નથી. ટીમ ઈન્ડિયાને શિખર ધવનની કેપ્ટન્સીમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વન ડેની શ્રેણી રમવાની છે. પહેલી મેચ 25 નવેમ્બરે રમાશે.